________________
શિષ્યરીની મીમાંસા
[૪૦૩ તે એક બીજાથી તદ્દન વિધી અને અસંગત વિધાનો પણ મળી આવે છે. દરેક જણ પિતાને ફાવતું વાક્ય લઈ તેને આધારે પિતાની પ્રવૃત્તિને શાસ્ત્રીય ઠરાવવાનો પ્રયત્ન કરે તે હિંસા, મૃષાવાદ, ચોરી અને વ્યભિચારાદિ દોષનું પિષણ થઈ શકે એવા પ્રસંગે પણ તેમાંથી મળી આવવાને અથવા તે -ઉપજાવી શકાવાને ચોક્કસ સંભવ છે. તેથી ટૂંકમાં અને છતાં અવિરેાધીને સર્વગ્રાહ્ય શાસ્ત્રવ્યાખ્યા એટલી છે કે જે સુધારે અથવા જેનાથી કશું બગડે નહિ પણ સર્વ સુધરે તે શાસ્ત્ર; અથવા એમ કહે કે જેનાથી કલેશનું પિષણ ન થાય તે શાસ્ત્ર. જૈન શાસ્ત્રને નામે ચઢેલાં શાસ્ત્રોમાં કઈ પણ કારણને લીધે એમ લખાયેલું સુધાં મળે છે કે સીધી રીતે વડીલે કે લાગતાવળગતાઓ સમ્મતિ ન આપે તો દીક્ષા લેનાર અમુક અમુક રીતે પ્રપંચબાજી પણ રમે અને એ છળપ્રવૃત્તિ દ્વારા પણ છેવટે પરવાનગી મેળવે. આ કથન ગમે તેણે કોઈ પણ સંગોમાં કોઈ પણ આશયથી કર્યું હશે એમ આપણે માની લેવું જોઈએ. એ કથનને શાસ્ત્રીય માની પણ લઈએ. હવે ધારે કે આવા કથનનો ઉપયોગ સાર્વત્રિક થવા લાગે તે એનું પરિણામ છેવટે શું આવે? એનું પરિણામ એક જ આવે, અને તે એ કે સત્ય તેમ જ સરળતા ખાતર અસત્ય અને કૂડકપટનું સેવન, અથવા એમ કહે કે અહિંસા ખાતર હિંસાને પ્રચાર અને પુષ્ટિ થવા પામે. તેથી જ્યાં આંટીઘૂંટીની બાબત આવે ત્યાં ધોરી માર્ગ પ્રમાણે જ વર્તવાને સુવર્ણ નિયમ શાસ્ત્રસમ્મત છે.
જૈન શાસ્ત્રને મુખ્ય પાયો તે અનેકાંતદષ્ટિ છે. ઉપર જે અસમ્મત દીક્ષાના અપવાદો ગ્રન્થમાં દાખલ થયા છે તેમાં પણ આચાર્યોએ અનેકાન્તદૃષ્ટિ રાખેલી છે. સોળ વર્ષની ઉંમર સુધીનાને અસમ્મત દીક્ષા આપવામાં શિષ્યનિષ્ફટિકા કહેલ છે; એટલે કે, તે ક્યને ત્રીજા મહાવ્રતના ભંગ તરીકે ગણી એ દેષ માટે મૂળ આદિ પ્રાયશ્ચિત્તેનું વિધાન કરેલ છે. તેમાં પણ એકાંત નથી. જો કેઈ સાતિશય જ્ઞાની અતિ ઉજજવળ ભાવી જુએ, અને દીક્ષા લેનાર દ્વારા તેનું અને શાસનનું પરમ હિત જુએ, વળી તે એ અમોઘહસ્ત હોય કે તેના હાથથી દીક્ષિત દીક્ષાભ્રષ્ટ થવાને જ ન હોય તો તેવો જ્ઞાની સગીર ઉંમરના બાળક સુધ્ધાંને એ સમ્મત દીક્ષા આપે–આવું પણ કથન છે. અત્યારે આ આપવાદિક કથનો ઉપયોગ કરી, જેના દ્વારા ધર્મને ચોક્કસ જ પ્રભાવ વધે અને જે કદી દીક્ષાથી ચલિત થવાના જ નથી એવા નાનાં નાનાં બાળકબાળિકાઓને ખૂણેખાંચરેથી જ્ઞાન દ્વારા શોધી કાઢી તેમને સમ્મત દીક્ષા આપી શાસનપ્રભાવના કરવા જેવા જ્ઞાનીઓ જે આજે હોય તે તેમણે શા માટે ચૂપ બેસી રહેવું જોઈએ ? તેમને તે બાળકોને નસાડવાનો, ભગાડવાનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org