SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ] દર્શન અને ચિંતન ગ્રાહ્ય રહે છે. એટલે ઉત્સર્ગને મર્યાદા નથી હોતી, પણ અપવાદને દેશની, કાળની અને સગોની મર્યાદા હોય છે. એ મર્યાદાને સૂક્ષ્મ વિચાર સાધારણુ લેકે ન કરી શકે એટલા જ માટે ભાષ્ય અને ચૂર્ણિમાં છેવટે કહેવું પડયું કે અપવાદને આગળ કરી જેઓ વર્તે છે તેઓ મધમી અને મૂલવ્યુત છે. અપવાદ એ અપવાદની મર્યાદામાં છે કે નહિ એને જાણવાનું સામાન્ય સાધન એટલું જ છે કે અસમ્મત દીક્ષા લેનાર અને આપનારમાં લેભ, ભય, અને શાસનઉપેક્ષા જેવા દો હવા ન જોઈએ. આ દોષ મારા પિતામાં નથી અથવા તે તદ્દન ઓછા છે એમ તે સૌ કઈ કહી શકે, પણ તેની ખરી પ્રતીતિ આજુબાજુના લેકેની એકમતી અથવા બહુમતીથી અથવા તે સમગ્ર સંધની સમ્મતિથી જ થઈ શકે. જેનામાં લભ ન હોય, ભય ન હોય અને શાસન માટે યથાર્થ આદર હોય તે શિષ્ય માટે લાંચ કેમ આપે ? તેમને નસાડે કેમ ? બીજાને ત્યાં છુપાવે કેમ? સીધી કે આડકતરી રીતે ખોટું બોલે અને બોલાવે કેમ ? દાવપેચ અને જૂઠાણું સેવે કેમ? મારપીટ, લડાલડી અને કેટંબાજીમાં રસ લે કેમ ? જેઓને શાસનને સાચે આદર હોય તેઓ પિતે જાણી જોઈને કેટે ઘસડાય એવા પ્રસંગો ઊભા કરે જ કેમ? રાજસત્તાને દીક્ષા ઉપર અંકુશ મૂકો પડે અગર તો જાહેર સ્થાનોમાં અને જાહેર છાપાંઓમાં ફક્ત શિષ્યહરણને કારણે થતી ધર્મ હલનામાં ભાગીદાર થવાની સ્થિતિ એ લેકે પસંદ કરે જ કેમ? જ્યારે આવી સ્થિતિ દેખાય ત્યારે જાણું લેવું જોઈએ કે હવે અપવાદે મર્યાદા મૂકી છે, અને તે ઉત્સર્ગને પિષક મટી ઘાતક થવા લાગે છે. આ સ્થિતિ આજે છે કે નહિ, એ વિચારવાનું કામ દરેકનું છે. મને તે ચોખ્ખું લાગે છે કે અસમ્મત દીક્ષાના અપવાદે મર્યાદા મૂકી છે અને ભાષ્ય-ચૂર્ણિકારના કથન પ્રમાણે તે મંદધમીની પ્રવૃતિ થઈ પડેલ છે. તેના પુરાવા તરીકે મેર ચાલતી ઝગડાબાજી, કેટંબાજી અને કલેશપ્રવૃત્તિ ઉપરાંત સ્થળે સ્થળે સંધ ભેદ છે. સૌથી વધારે અને પ્રબળ પુરાવો તે એ છે કે નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને પિતાને જ દીક્ષા ઉપર અંકુશ મૂકનારે ઠરાવ ધારાસભામાં લાવવો પડ્યો છે. શાસ્ત્રને આધારે વર્તવાની વાત કરનારાએ અને જ્યાં ત્યાં શાસ્ત્રના પુરાવાના નામે મરજી મુજબ વિધાન કરનારાએ જાણવું જોઈએ કે શાસ્ત્ર એટલે શું? અને શાસ્ત્રની મર્યાદામાં શું સમાય છે અને શું નહિ ? સાધારણ લેકે તે નથી દેતા ભણેલા કે નથી હોતા વિચારશીલ કે જેથી તેઓ કાંઈ શાસ્ત્રને વિવેક કરી શકે. હજાર વર્ષ જેટલા લાંબા સમયમાં ઘણા લોકોએ ઘણું લખેલું હોય છે અને તે બધું શાસ્ત્ર પણ કહેવાય છે. તેમાં ઘણીવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy