SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યચેરીની મીમાંસા [ ૩૯૩ -સમ્મત નથી એમ કહી તેને ભારે વિરોધ કરી રહ્યો છે. આ વિરોધ માત્ર શાબ્દિક ન રહેતાં ઘણીવાર મારામારી અને કોર્ટે ચઢવા સુધીના પગલામાં પરિણમે છે. એ ઝરે તેથીયે વધારે ઉગ્રરૂપ ધારણ કર્યું છે. આ જ કારણથી આ વિષય આજે ચર્ચવાનું દુરસ્ત ધાર્યું છે. આ ચર્ચામાં કોઈ પણ એક પક્ષનું અનુસરણ કરવાને ઈરાદે નથી. જે પ્રમાણે બન્ને પક્ષકારે શાસ્ત્રમાંથી રજૂ કરે છે અને જે અમારી જાણમાં છે તેને તદ્દન મધ્યસ્થ દૃષ્ટિએ વિચાર કરે એ જ આ ચર્ચાને ઉદ્દેશ છે. અત્યારે પ્રસ્તુત બાબત પર જૈન સાધુસમાજમાં મુખ્ય ત્રણ વર્ગ છેઃ એક, સ્પષ્ટપણે શિષ્યહરણની હિમાયત કરનારે; બીજે, તેને તદ્દન વિરેધ કરનારા; અને ત્રીજે, દેખીતી રીતે તટસ્થ છતાં શિષ્યહરણના પક્ષનો લાભ લેનારે. કોઈ પણ વિષય ઉપર વિચાર કરવામાં અને નિર્ણય બાંધવામાં સાધુવર્ગ ઉપર આધાર ન રાખતાં, પિતાની જ બુદ્ધિ ઉપર આધાર રાખનાર ગૃહસ્થવર્ગ જૈન સમાજમાં બહુ જ નાનો છે, અને તે જેવડો છે તે આખેય વર્ગ શિષહરણના વિરોધી પક્ષનું વલણ ધરાવે છે. તેથી ગૃહસ્થવર્ગ પણ ઉપર કહેલા સાધુવર્ગના ત્રણ ભાગમાં જ વહેંચાઈ જાય છે. અત્યારે ઉપર ઉપરથી જોતાં શિખ્યહરણના હિમાયતી અને વિરોધી એ બે પક્ષ વચ્ચે જ અથડામણ દેખાય છે, છતાં વાસ્તવિક રીતે આખેય જૈનસમાજ આ ઝેરીલી અથડામણને ભોગ થઈ પડ્યો છે. શિષ્યહરણ યોગ્ય છે કે નહિ ?” એનો ખુલાસો સ્વતંત્ર બુદ્ધિથી અને શાસ્ત્રના આધારેથી એમ બન્ને રીતે મેળવી શકાય તેમ છે. જેઓને વિચારવાની અને સાચું ખોટું તપાસવાની સ્વતંત્ર બુદ્ધિ મળી છે તેમને તે આ વિષય પરત્વે કઈ પણ નિર્ણય બાંધવા માટે કેઈને આધાર લેવાની જરૂર નથી; અને બહુ ઊંડા પાણીમાં ઊતરવું પડે તેમ નથી. તેઓ તે તદ્દન સહેલાઈથી ક્રિોઈપણ નિર્ણય બાંધી શકે એટલી આ બાબત સહેલી, બુદ્ધિગમ્ય, અને દીવા જેવી ખુલ્લી છે. છતાં આ સ્થળે તે આ પ્રશ્નને ખુલાસે શાસ્ત્રીય દૃષ્ટિએ જ કરવાને હેઈ બુદ્ધિને ઉપગ મુખ્યતઃ શાસ્ત્રના પ્રમાણેને આધારે જ કરવાનો છે. જૈન સાધુની આખી જીવનચર્યા અહિંસા આદિ પાંચ મહાવ્રતોને આધારે જ હોવાનું શાસ્ત્રમાં કથન છે અને તે દરેક પક્ષ સ્વીકારે છે. એ પાંચ મહાવતે જૈનપણાના પાયા ઉપર જાયેલાં છે. જૈનપણું એટલે લોભ, લાલચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy