SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] દર્શન અને ચિંતન નથી તે લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણને, કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પિતાની જવાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ, પણ સુક્ષ્મ ચિંતને ચાલતાં, અલૌકિક ધ્યાન ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહેરને સાધુચર્યાનો કાર્યક્રમ વિચારણા, ધ્યાન અને મનોનિગ્રહી તપમાં જ ગોઠવાયેલું રહેતું. એ વાતાવરણ એટલું બધું સાત્વિકતામાં ઊંડું, જિજ્ઞાસામાં વિશાળ અને તપમાં ગંભીર રહેતું કે તેમાં ભાર (આસુરી વૃત્તિ)ને પેસતાં ભારે મુશ્કેલી પડતી. સુદ બાબતની તકરારે, કશું નવું જાણવાની બેદરકારી, અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમ જ બીક અને પામરતાની છાયા, જે આજે ત્યાગીજીવનના વાતાવરણમાં છે, તે જે તે વખતે હતા તે તે વખતે પણ એવી દીક્ષાને વિરોધ જરૂર થાત, અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગેવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ફરજ તે ભગવાનના એ સમયનું વાતાવરણ લાવવાની છે. જે દીક્ષાના પક્ષપાતીઓ એ તમય વાતાવરણ લાવવા લેશ પણું મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્વિક અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણ અત્યારે ઊભું કરવા મથતા ન હોય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તો સમજવું જોઈએ કે તેઓ પોતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાને પાયે હચમચાવી રહ્યા છે, અને પિતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે. જે તેઓ પિતાની આજુબાજુના વાતાવરણ તરફ અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઊછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જશે તે તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાઓ હજારે કાં ન આવે, પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને બાળકે , તરણે અને યુવકપતીઓને દીક્ષા આપવામાં તે ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં રહેલી બને છે તે જ બીજા અને વિરોધો વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારને સાથે શિક્ષણ આપવાને કેયડે કેટલે મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy