SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] દર્શન અને ચિંતન દીક્ષા લઈ શકે અને તેવા તરુણે મળી આવે તે દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તે આ પક્ષ બાળ ઉમેદવારે ન હોય તે તેવા ઉમેદવારને કૃત્રિમ રીતે ઊભા કરી તેમને શિરે ધર્મમુકુટ પહેરાવવાનો પ્રયત્ન કરે છે. બીજે પક્ષ કહે છે કે બાળકને તે દીક્ષા ન જ આપવી જોઈએ, અને તરુણને દીક્ષા આપવી હોય તે એના વાલી-વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમ જ સ્થાનિક સંધની પરવાનગી સિવાય તે આપવી એગ્ય નથી. બન્ને પક્ષકારોની પિતપોતાની દલીલ છે, અને ઘણીવાર એ મેહક પણ કેટલાકને લાગે છે. પહેલે પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુ-વ્યક્તિઓનાં નામ પિતાના પક્ષની પુષ્ટિમાં ટકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠાં પરિણામે પિતાના પક્ષની પુષ્ટિમાં ટકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યક્તિઓનાં નામો પણ કેઈક વાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લેકે સામે નથી મૂકો. બન્ને પક્ષકારે ભલે પોતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જે એ બન્ને સાચા અને વૈર્યશાળી હોય તે વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજૂ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણું અને રજૂ કરી શકાય. એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ, જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજી તરફ પિતાની પાસે દીક્ષા લેનારમાંથી કઈ છટકી જાય તે તે પણ પ્રામાણિકપણે કારણપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ પિતાની આવી યાદીઓ એક આણંદજી કલ્યાણજી જેવી પેઢીને અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદીઓ ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર–છોડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટલું, તેમ જ લેવાનાં અને છોડવાનાં, ખાસ કરીને છોડવાનાં કારણેની સરખામણી. આ યાદીમાંની દર સે વ્યક્તિઓમાંથી સારી પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પિતાના પક્ષની પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીઓ પિતાના પક્ષની પુષ્ટિ કરે; તેમ છતાં બન્ને પક્ષે એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામના સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છેડવાનાં કારણે પરત્વે ખાસું જાણવાનું મળશે, અને ઉંમર તેમ જ વડીલેની સંમતિ પરત્વેની કરારનું મૂળ અસલમાં ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy