________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ
[૧૭] દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલે જ અર્થ નથી. તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી. શસ્ત્રદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વળી બીજે બીજે સમયે બીજું શસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. યજ્ઞદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્ય દીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, જ્યાં સુધી રાજ્યસૂત્ર હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બંધાયેલો છે. વિશેષ શું ? વિવાહની પણ દીક્ષા છે. વિવાહનાં ઉમેદવાર વધુવરને પણ એ દીક્ષા લેવી પડે છે. આ બધી દીક્ષાઓ કાંઈ કલ્પિત કે આધુનિક નથી; એને બહુ જ જૂનો ઈતિહાસ છે. ભગવાન મહાવીર પહેલાં હજારો વર્ષોથી એ બધી દીક્ષાઓ ચાલતી આવી છે, અને હજી પણ એક અથવા બીજા રૂપે ચાલે જ છે. ધર્મદીક્ષા એ બધી દીક્ષાઓથી જુદી છે.
- દીક્ષા એટલે ભેખ લેવો, સંન્યાસ કે ફકીરી ધારણ કરવી. ભેખ એટલે. અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજનાં, અને ઘણીવાર તો દેશ સુધ્ધાંનાં બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કોઈ કોઈ વાર છોડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે બંધને આડે આવતાં હોય તે બધાને છેડવાં એ જ ભેખનો અર્થ છે. આજે પણ કેળવણી મેળવવા છોકરાઓને પિતાના કુટુંબકબીલાનાં બંધને છોડી બેનિંગ, કોલેજ અને ઘણીવાર પરદેશનાં વિદ્યાલયનાં બંધને સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા એટલે જ દીક્ષાને કાળ. તેથી વિદ્યાદીક્ષા બાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. બીજી દીક્ષાએના સમયે પણ મુકરર છે. એ રીતે વિવાહરીક્ષાને અવશેષ એટલે રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાઓને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓને ઉદેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણું પહેલેથી જ રાખવામાં આવેલી હોય છે, પણ ધર્મદીક્ષાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org