________________
[૫૩
આપણે ક્યાં છીએ? જે જૈન સામયિક જૈનેતરોમાં પ્રતિષ્ઠા મેળવી ન શકે, એવાં પુનરુક્તિ, ખુશામત અને માત્ર પરલોકપ્રશંસા કરનાર સામયિકે ચાલુ રહેવાનાં હોય અને સમાજને કશી સાચી દેરવણી સ્પષ્ટપણે આપી શકતાં ન હોય તે સાંવત્સરિક ધર્મપર્વ તરીકે અનેક વાર ગાવા છતાં આપણું સ્થિતિમાં છે ફેર પડવાને ?
ઉપરના પ્રશ્નો માત્ર દિગ્દર્શનરૂપ છે. પાંજરાપોળ, અસ્પૃશ્યતાનિવારણ, સાધુઓની કાર્યદિશાનું પરિવર્તન, એહિક આવશ્યક પ્રવૃતિઓમાં રસ લેવાની ભાવના, સ્વયંસેવક દળ, અખાડાપ્રવૃત્તિ, સ્વબળે સાચવી અને નભાવી શકાય તેટલાં જ મંદિર અને તીર્થોની વ્યવસ્થાને પ્રશ્ન વગેરે અનેક મુદ્દાઓ તત્કાળ એગ્ય વિચારણા અને ઉકેલ માગી રહ્યા છે, પણ એ વિશે વાચક પિતે જ વિચાર કરી લે અને વિચાર કરતો થાય એ ઈષ્ટ છે. આ સ્થળે જે સામાજિક નિરીક્ષણ કર્યું છે તે ક્રિયાપર્યવસાયી બને એ ભાવનાથી જ કરાયેલું છે; પણ એવી ભૂમિકા તૈયાર કઈ રીતે થાય અને એવી તૈયારી કરવાની જવાબદારી કોને શિરે છે, અગર એવી જવાબદારી ઉઠાવવાની જવાની કેનામાં છે એ પણ પ્રશ્ન છે. આને ઉત્તર શાણા અને સ્કૂર્તિવાળાં યુવકે જ આપે.
––જૈન “પયુંષણુંક', શ્રાવણ ૨૦૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org