SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે કયાં છીએ? [૩૫૧ ત્યાં આવેલ વાસસ્થાનેમાં એ ચેખાઈને એક પણ અંશ છે? મંદિર અને ઉપાશ્રયમાં જે ચોખાઈ હોય છે તે કરતાં અનેકગણી ગંદકી તેની આસપાસ હોય છે, એ હકીકત દીવા જેવી છે. અચિત્વની ભાવના મૂળે શાભિમાન દૂર કરવા અગર ચોખ્ખાઈને રાગ નિવારવા માટે જાયેલી, પણ તેના સ્થાનમાં જૈનોએ અશુચિનું પિષણ એટલું બધું કર્યું છે કે તે જોઈ કોઈને પણ તેના પ્રત્યે અણગમો કે દ્વેષ આવ્યા વિના રહે નહિ. રાગ નિવારવા જતાં દેવનું તત્ત્વ પિવાયું અને સમાજે આરેગ્ય તેમ જ પ્રતિષ્ઠા ગુમાવ્યાં. શું આ પ્રશ્ન સાંવત્સરિક આત્મનિરીક્ષણમાં સ્થાન નથી પામતે ? જો હા, તે આ વાતે કેશુ વિચાર કરશે ? સાધુઓ કે વહીવટકર્તાઓ કે બને? જો એકે પૂર્ણ જવાબદાર ન હેય તે સુપ આવે કે જાય તેથી સમાજનું શું વળવાનું? દેવદ્રવ્યને ઉદ્દેશ સુંદર છે, એ વિશે તે મતભેદ છે જ નહિ; પણ એ ઉદેશ સાધી શકાય તે કરતાં વધુ પ્રમાણમાં એકઠું થયેલું દેવદ્રવ્ય જ્યાં ત્યાં એક અથવા બીજે રૂપે પડયું રહે, તેને કોઈ સામાજિક હિતમાં ઉપયોગ થઈ જ ન શકે અને છેવટે કાંતે એ સ્થાવર મિલકતરૂપે રહે અને કાં તે જ્યારે ત્યારે જેના તેના હાથે ભરખાઈ જાય–આ સ્થિતિ શું પુનર્વિચારણા નથી માગતી? શું વિદ્વાન ગણાતા અને વિદ્વાન છે એવા ત્યાગીઓનું તેમ જ ડાહ્યા ગણાતા વ્યાપારી શ્રાવકોનું માનસ આમાંથી કોઈ ઉકેલ શોધવાની શક્તિ જ નથી ધરાવતું? જો એમ હોય તે પજુસણ કે સંવત્સરી પર્વ આવે ને જાય એ બધું પથ્થર ઉપર પાણી ઢોળ્યા બરાબર છે. સમાજ તે જ્યાં હતો ત્યાં જ છે, અગર સમયની દૃષ્ટિએ તુલનાત્મક વિચાર કરીએ તે પ્રથમથી પાછો પડ્યો છે એમ માનવું જોઈએ. તત્વજ્ઞાન અને ધર્મનું શિક્ષણ આપતી નાનીમેટી અનેક પાઠશાળાઓ છે, કેટલાંક ગુરુકુળે ને બ્રહ્મચર્યાશ્રમે પણ છે, અનેક છાત્રાલયો પણ છે. એમાં ત્યાગીઓ, પંડિત અને અત્યારના સુશિક્ષિત ગણાતા મહાશયોને પૂરેપૂરે હાથ છે, અને તેમ છતાં તેમાં ધાર્મિક અને તાત્ત્વિક શિક્ષણ લેનારની દશા જોઈએ છીએ ત્યારે એમ માનવાનું મન થઈ જાય છે કે જેટલા પ્રમાણ માં જેણે વધારે ધર્મશિક્ષણ લીધું તે તેટલા પ્રમાણમાં વધારે પાકે મૌલવી કે મુલા. અત્યારે અપાતું ધર્મનું તેમ જ તત્ત્વનું જ્ઞાન એને લેનારમાં કોઈન વિચાર પ્રેરતું નથી અને “તમસો મા જતિમા–અંધારામાંથી અજવાળામાં લઈ જા. એવી મનોદશાને બદલે “નિષો મા તમો જમ’ એવી મનોદશા સજે છે! કોઈ પણ સાચો સમજનાર અને નિર્ભય ધર્મતત્વજ્ઞ ઉપર કહેલ એવી સંસ્થાઓનું અને તેમાં શીખતા વિદ્યાર્થીઓનું ભાનસ જેશે તે તેને જણાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy