________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
[૩ર૯ છઠ્ઠા ગુણસ્થાનના અધિકારી લેખાતા હોય તે વખતે સૌની સમક્ષ ખુલ્લે દિલે એકરાર કરવો કે હું તે ચેથા ગુણસ્થાનમાં પણ નથી, એ કાંઈ જેવું તેવું પ્રતિક્રમણ છે? હૃદયમાં આ ભાવ ખરેખર જગ્યા હોય તે ત્યાંથી જ પ્રતિક્રમણ શરૂ થાય છે. માત્ર પ્રતિક્રમણનાં સૂત્રેની કે તેની વિધિઓની માળા ફેરવવા માત્રથી પ્રતિક્રમણનો કોઈ અર્થ સરતો નથી, એમ દેવચંદ્રજી સૂચવે છે. દેવચંદ્રજીએ દષ્ટિરાગના પિષણમાં સમ્યગ્દર્શન માની લેવાની ભ્રાન્તિને જે ઘટસ્ફોટ કર્યો છે તે જૈન સમાજમાં પ્રવર્તતી અને લાંબા કાળથી ઊંડાં મૂળ નાખી પડેલી સમકિત ધરાવવાની અને તે દ્વારા પિતાના વાડામાં ચેલાચેલીઓનાં ઘેટાં પૂરવાની પ્રથાના જાતઅનુભવનું સૂચન માત્ર છે. “હું તારે ગુરુ ને તું મારે ચેલે કે ચેલી,” એ જ રીતે અમે તમારા ચેલા–ચેલી અને • તમે જ અમારા ભારવાહી ગુરુ ઉદ્ધારક'–આવી દષ્ટિરાગની પુષ્ટિમાંથી જ અખંડ જૈનત્વ ખંડિત થયું છે અને તેનાં ટુકડેટુકડા થઈ તે નિર્જીવ બન્યું છે. સમાજ અને ચતુર્વિધ સંઘની દષ્ટિએ જે તત્ત્વ સર્વપ્રથમ હોય છે તેને સખ્ત વિરોધ દાખવવા સાથે દેવચંદ્રજીએ પિતાની જાત જેવી હોય તેવી - વર્ણવીને ખરેખર નિર્ભયપણું દાખવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્તિને તેમ જ સામાજિક દૃષ્ટિએ સમષ્ટિને ઉદ્ધાર કરેલ હોય અને વ્યવહારદૃષ્ટિએ જીવનનાં બધાં જ ક્ષેત્રમાં પ્રતિક પ્રાપ્ત કરવી હોય તો તેને દેવચંદ્રજીએ સ્વીકારેલે એ એક જ માર્ગ છે અને તે એ કે પિતાની જાતને હોય તેવી દેખાડવી; બેટે કે સાચે કોઈ પણ જાતને દંભ–ડોળ ન કર.
ચાથી કડી
મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતા; જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભે તડકીથી.
આ ચોથી કડીના પૂર્વાર્ધમાં દેવચંદ્રજી સ્થિરતાનું મૂલ્ય આંકે છે. માત્ર આધ્યાત્મિક જીવનના વિકાસમાં જ નહિ, પણ વ્યાવહારિક જીવનના એકેએક પ્રદેશ સુધ્ધાંમાં સ્થિરતાનું મહત્ત્વ છે. અસ્થિર મને કરેલું કોઈ કાર્ય સફળ થતું નથી કે સંતોષ આપી શકતું નથી. વચનની અસ્થિરતા એટલે ક્ષણમાં એક બેલવું અને ક્ષણમાં બીજું બોલવું. આગળપાછળના બેલામાં કશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org