________________
મહાવીરને સન્ડેશ
[ ૮ ]
આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણ આપણે તેમના જીવનચેતનને સ્પર્શતા નથી. જે તેમના જીવનચેતનને સ્પર્શીએ તે. સહુ માનવી વિશાળ દષ્ટિએ મહાવીર બની શકે, મહાવીર થઈ શકે.
તેર ચર્તન મુંગીથા –એ આદેશ સ્પષ્ટ કહે છે કે ત્યાગ કરીને, ભેગવ. કઈ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચું રાખવામાં આવે છે. એનો અર્થ ઊંચા આદર્શને છે. દષ્ટિ શિખર તરફ રહે, ઉચ્ચ રહે એ. હેતુ છે.
તન ધનકી કૌન બડાઈ” એમ કબીર કહે છે ત્યારે તન, મન, ધન નકામું છે એમ નહિ, પણ એની બડાઈ નકામી છે. ભગવાનને ઓળખવા હોય તે આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઈએ. કોઈ વાડીમાં કે ચેકામાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈએ અને તે જ એને ગમે ત્યાં જોઈ શકીએ,. પછી એનું નામ મહાવીર હોય, કૃષ્ણ હોય કે ગમે તે હોય.
મહાવીરને સંદેશ છે કે સત્ય અને સગુણમાં એક થવું. મહાવીરને સંદેશ એટલે જીવનદષ્ટિ અને જીવનકળા.
હિંદના કેઈ પણ સંતને લે. તેને સંદેશ એક જ હોય છે. તમારા અવગુણ તરફ જુઓ, સામાના અવગુણ તરફ જુએ નહિ. ભગવાન મહાવીર પણ દરેક માનવીને સૌ પહેલાં પિતાની ખામી જોવાનું કહે છે.
મિચ્છામિ દુક્કડ' બેલીએ અને ભૂલે કર્યો જઈએ એને કાંઈ અર્થ નથી, પણ ભૂલ તરફ પાછા ન જઈએ એ એનો ખરો અર્થ છે.
સમ્યકચારિત્ર એટલે જ જીવનકલા–જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે, આચરી બતાવી છે. આપણે એને સમજ વ્યવહારમાં આચરી બતાવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org