SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર [ ર૭૯ કરે. જે વિચારે તે જ બોલે અને તે પ્રમાણે જ વર્તે અને જે વિચારો તે પણ એવું કે તેમાં સુતા કે પામરતા ન હોય. પોતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખે અને તેને જીતવાની જ વીરતા બતાવ.” મહાવીર કહે છે કે જે એ બાબતમાં એક નિમેષમાત્રને પ્રમાદ થશે તે જીવનને મહામૂલે સદંશ -દિવ્ય અંશ એળે જ જશે અને કદી નહિ લાધે.” મહાવીરે જે તત્ત્વજ્ઞાન વારસામાં મેળવેલું અને જે આચર્યું તે ટૂંકમાં એટલું જ છે કે જડ અને ચેતન બે તો મૂળથી જ જુદાં છે. દરેક બીજા ઉપર પ્રભાવ પાડવા મથે છે; તેને લીધે જ કર્મવાસનાની આસુરી વૃત્તિઓ અને ચેતના તેમ જ પુરુષાર્થની દેવી વૃત્તિઓ વચ્ચે દેવાસુર સંગ્રામ સતત ચાલે છે. પણ છેવટે ચેતનાનું દેખતું મક્કમ બળ જ જડ વાસનાના આંધળા બળને જીતી શકે. આ તત્ત્વજ્ઞાનની ઊંડામાં ઊંડી સમજણે તેમનામાં આધ્યાત્મિક સ્પંદન પેદા કર્યું હતું અને તેથી જ તેઓ માત્ર વીર ન રહેતાં મહાવીર બન્યા. એમના સમગ્ર ઉપદેશમાં આ મહાવીરતાની એક જ છાપ દેખાય છે. એમની જાત કઈ હતી? એમનું જન્મસ્થાન ક્યાં હતું ? માતાપિતા અને બીજા નેહીઓ કેણું અને કેવા હતાં ? ગરીબ કે સમૃદ્ધ ? આવા સ્થળ જીવનને લગતા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. એમાં અનેક અતિશક્તિઓ હેવાની, રૂપકે આવવાના, પણ જીવનશુદ્ધિમાં અને માનવતાના ઉત્કર્ષમાં ઉપકારક થઈ શકે એવી તેમની જીવનરેખા તે ઉપર મેં જે આછી આછી આલેખી તે જ છે, અને આજે હું મહાવીરના એ જ જીવનભાગ ઉપર ભાર આપવા ઈચ્છું છું, જેમાં આપણુ જેવા અનુયાયી ગણાતા ભક્ત અને જિજ્ઞાસુઓની શ્રદ્ધા તેમ જ બુદ્ધિ બન્નેની કસોટી રહેલી છે. તેમનું આ જીવનદર્શન ત્રણે કાળમાં કદી જૂનું કે વાસી થનાર નથી. જેમ જેમ એને ઉપયોગ કરતા જઈએ તેમ તેમ એ જીવનના દરેક ક્ષેત્રમાં નિત્યનૂતન અરુણોદયની પેઠે પ્રકાશનું રહેવાનું અને સાચા સાથીનું કામ આપતું રહેવાનું. એ બ્રાહ્મણક્ષત્રિયને આચાર અહિંસાની પારમાર્થિક ભૂમિ ઉપર કેવી રીતે ઘડાયો હતો અને તેમના વિચાર અનેકાન્તની સત્યદષ્ટિને કેવી રીતે સ્પર્શ કરતો હતો એનું દૂબહૂ ચિત્ર પ્રાચીન આગમાં જોઈએ છીએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. મારમાર કરતે કોઈ પણ આવે તે તેની સામે મનથી પણ રોષ ન સેવવો, તેનું લેશ પણ અહિત ન ચિંતવવું—એ તેમની અહિંસાની ખાસિયત છે. ગમે તેવાંવિરોધી દષ્ટિબિંદુઓ અને અભિપ્રાયેનો પ્રતિવાદ કરવા છતાં પણ તેમાં રહેલા અતિ અલ્પ સત્યની માત્રાને જરા પણ ઉપેક્ષા કર્યા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy