SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] દર્શન અને ચિંતન તરવરે છે, જ્યારે બીજા પ્રકારની ઘટનાઓમાં શત્રુશાસન, યુદ્ધકૌશલ અને દુષ્ટદમનકર્મનું કૌશલ તરવરે છે. આ ભેદ જૈન અને વૈદિક સંસ્કૃતિના મૌલિક તત્ત્વભેદને આભારી છે. જૈન સંસ્કૃતિનું મૂળ તત્ત્વ કે મૂળ સિદ્ધાંત અહિંસા છે. અહિંસાને સંપૂર્ણપણે સાધનાર અથવા તે તેની પરકાષ્ઠાએ પહોંચનાર જે હોય તે જ તે સંસ્કૃતિમાં અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે, જ્યારે વૈદિક સંસ્કૃતિમાં એમ નથી. તેમાં જે લેકસંગ્રહ પૂર્ણપણે કરે, સામાજિક નિયમન રાખવા માટે સ્વમાન્ય સામાજિક નિયમોને અનુસાર, શિષ્ટનું પાલન અને દુષ્ટનું દમન ગમે તે ભોગે કરે તે જ અવતાર બને છે અને અવતારરૂપે પૂજાય છે. તત્વને આ ભેદ નાનોસૂનો નથી, કારણ કે એકમાં ગમે તેવા ઉશ્કેરણના અને હિંસાના પ્રસંગે પ્રાપ્ત થવા છતાં પૂર્ણ અહિંસક રહેવાનું હોય છે; જ્યારે બીજીમાં અંતઃકરણવૃત્તિ તટસ્થ અને સમ હોવા છતાં વિકટ પ્રસંગે ઉપસ્થિત થતાં જાન ઉપર ખેલી અન્યાયકર્તાને પ્રાણ. દષ્ઠસુધ્ધાં આપી હિંસા દ્વારા પણ અન્યાયને પ્રતિકાર કરવાનું હોય છે. જ્યારે આ બન્ને સંસ્કૃતિનાં મૂળ તત્ત્વ અને મૂળ ભાવવાને જ ભેદ છે ત્યારે તે બન્ને સંસ્કૃતિના પ્રતિનિધિ મનાતા અવતારી પુરુષોનાં જીવનની ઘટના એ તત્વભેદ પ્રમાણે જાય તે જેમ સ્વાભાવિક છે તેમ માનસશાસ્ત્રની દષ્ટિએ પણ ગ્ય છે. આમ હોવાથી આપણે એક જ જાતની ઘટનાઓ ઉક્ત બન્ને પુરુષોનાં જીવનમાં ભિન્નભિન્ન સ્વરૂપમાં યોજાયેલી વાંચીએ છીએ. - અધર્મ કે અન્યાયને પ્રતિકાર અને ધર્મ કે ન્યાયની પ્રતિષ્ઠા એ તે કોઈપણ મહાન પુરુષનું લક્ષણ હોય જ છે; એના સિવાય કોઈ મહાન તરીકે પૂજા પણ પામી શકે નહિ, છતાં એની રીતમાં ફેર હોય છે. એક પુરુષ ગમે તે અને ગમે તેવા અધમ કે અન્યાયને પૂર્ણ બળથી બુદ્ધિપૂર્વક તેમ જ ઉદારતાપૂર્વક સહન કરી તે અધર્મ કે અન્યાય કરનાર વ્યક્તિનું અન્તઃકરણ પિતાના તપદ્વારા બદલી તેના અતઃકરણમાં ધર્મ અને ન્યાયનું રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરે છે, જ્યારે બીજો પુરુષ, વ્યક્તિગત રીતે ધર્મસ્થાપનની એ પદ્ધતિ ઈષ્ટ હોય તો પણ લેકસમૂહની દૃષ્ટિએ એ પદ્ધતિને વિશેષ ફળદાયક ન સમજતાં, બીજી જ પદ્ધતિ સ્વીકારે છે. તે અધમ કે અન્યાય કરનારનું ચિત્ત, માત્ર સહન કરીને કે ખમી ખાઈને નથી બદલતે, પણ તે તે “ઝેરની દવા ઝેર' એ નીતિ સ્વીકારી અથવા તે “શઠ પ્રત્યે શઠ થવાની નીતિ સ્વીકારી તે અધમ અને અન્યાય કરનારનું કાસળ જ કાઢી નાખી લેકોમાં ધર્મ અને ન્યાયની સ્થાપના કરવામાં માને છે. આ યુગમાં પણ આ વિચારસરણીને ભેદ સ્પષ્ટ રીતે ગાંધીજી અને લેકમાન્યની વિચાર તથા કાર્યશૈલીમાં જોઈ શકીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy