SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] દર્શન અને ચિંતન જે ભવાડાઓ ઊભા કરે છે તેનાં મૂળો તો સેંકડે વર્ષ પહેલાં નંખાઈ ગયેલાં હતાં. હેમચંદ્રના સમયમાં પણ એ વિકતિઓ હતી. ફેર એટલે જ કે અમુક પરિસ્થિતિને કારણે તે વિકૃતિઓ ધ્યાનમાં આવી ન હતી અગર કોઈએ તે તરફ લક્ષ આપ્યું ન હતું. જે એક બૈરા છોકરાવાળો આ વર્ગ કામધ છેડી પરાશ્રયી બની ધર્મ પાલન કરે એ સ્વાભાવિક હોય તો એમાં દોષ ન જ આવા જોઈએ. ખરી વાત એ છે કે જૈન પરંપરામાં ત્યાગી વર્ગે નિવૃત્તિધર્મની એક જ બાજુને જીવનની પૂરી બાજુ માની તે વિશેના જ વિચારે સેવ્યા અને પ્રચાર્યા. પરિણામે તેઓ ગૃહસ્થ કે ત્યાગીના જીવનમાં અનિવાર્ય રીતે આવશ્યક એવા કર્મો અને પ્રવૃત્તિનું મહત્ત્વ જ ભૂલી ગયા. તેથી જ આપણે ભારતના સહજ પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ વાંચીએ છીએ. - ભરતે રચેલ ઉપદેશમંત્રને અર્થ એ છે કે તમે જિતાયા છે, તમારામાં ભય વચ્ચે જાય છે, માટે તમે કોઈને ન હ. કે સુંદર, પારમાર્થિક અને સદા સ્મરણીય ઉપદેશ ! પણ આ ઉપદેશ સાંભળવામાં અસંગતિ કેટલી ? ઉપદેશનું તત્ત્વ વિચારનાર વેદપ્રણેતા ભરત પિતે. એને શબ્દમાં ઉતારનાર, ભરત પોતે. પણ ભરતને પિતાના જ વિચારનું ભાન રહેતું નહિ, તેથી તે એક ભાડૂતી અને અકર્મણ્ય પરાવલંબી વર્ગને મોઢે પિતાનાં રચેલ વાક્યો સાંભળવાનું પસંદ કરતો. આ બેહદું નથી લાગતું? પણ આ વર્ણનમાં, હેમચંદ્રન લેશ પણ દેષ નથી. એ તે એક કલ્પનાસમૃદ્ધ અને પ્રતિભાસંપન્ન કવિ છે. તે પોતે જે સંસ્કારથી ટેવાયેલ ને જે સંસ્કારમાં પિવાયેલ છે તેનું કવિત્વમય ચિત્રણ કરે છે. આપણે એ ઉપરથી જે એટલું સમજી લઈએ કે નિવૃત્તિધર્મની એકદેશીયતાઓ પ્રવૃત્તિધર્મને કેવો વિકૃત કર્યો, તે. આપણે માટે બસ છે. ભરત અને બાહુબળી જિનસેન કે હેમચંદના કાવ્યમય વર્ણનમાંથી અનેક બેધપ્રદ બાબતે. મળી આવે તેમ છે. તેમાંથી ભરત બાહુબળીને લગતી એક બાબત ઉપર ઊડતી નજર નાખી લઈએ, જે આ વખતે તદન સ્થાને છે. બંને ભાઈઓ લડાઈમાં ઊતર્યા. સામસામે મેટી મટી ફેજના મેરિચા મંડાયા. અનેક જાતના સંહાર પ્રતિસંહાર પછી છેવટે ઈ આપેલ સલાહ બંનેએ માન્ય રાખી. તે સલાહ એ હતી કે ભાઈ! લડવું હોય તે લડે, પણ એવું લડે કે જેથી તમારી લડાઈની ભૂખ પણ ભાગે ને કેઈની ખુવારી પણ ન થાય. ફક્ત તમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy