SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] દર્શન અને ચિંતન સમાજની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એકે વાસ્તવિક રહી જ નથી. ગૃહસ્થા પેાતાની ભૂમિકા પ્રમાણે પ્રવૃત્તિધમ પૂર્ણ પણે નથી બજાવતા અને ત્યાગી પણ નિવૃત્તિધમ જરાયે સાચવી નથી શકતા. આ મુશ્કેલીમાંથી બચવાની ચાવી મારી સમજ પ્રમાણે ભગવાન ઋષભના સ્વાભાવિક જીવનક્રમમાંથી મળી આવે છે. એ ઋષભના જીવનક્રમ ઘણા લાંબા વખતથી આ જાતિને આર્શ મનાતા આવ્યા છે અને તે આખી માનવજાતિને વિશુદ્ધ આદર્શ થવાની ચેાગ્યતા પણ ધરાવે છે. ભરતના પ્રવૃત્તિધર્મમાં વિકૃત નિવૃત્તિધર્મની છાપ ઋષભ પછી તેમના જ્યેષ્ઠ પુત્ર ભરતના જીવન તરફ આપણે વળીએ. એના આખા જીવનને ન સ્પર્શતાં તેની અમુક બાબત તરફ જ દૃષ્ટિપાત કરીશું. એમ તો ભરત ઋષભના પુત્ર તરીકે જેમ જૈનપર પરામાં વર્ણવાયેલ છે તેમ તે બ્રાહ્મણપર’પરામાં પણ વર્ણવાયેલ છે. અલબત્ત, ભરતના જીવનનું ચિત્રણ અને પરંપરાઓએ પોતપેાતાના દૃષ્ટિબિંદુ પ્રમાણે જ જુદી જુદી રીતે કરેલું છે. અહીં આપણે જૈન પર પરામાં વર્ણવાયેલ ભરતજીવનની ઘટના ઉપર વિચાર કરીશું. દિગંબર અને શ્વેતાંબર અને પરંપરા પ્રમાણે ભરતનું આખુ જીવન તેના પિતાના વારસ પ્રમાણે પ્રવૃત્તિધમાંથી ધડાયેલું છે એ વિશે તે શંકા છે જ નહિ. ભરત ઉમરે પહેાંચી રાજ્ય કરે છે, ૬૪૦૦૦ સ્ત્રીઓ સાથે ગૃહજીવન ગાળે છે, પ્રજાપાલનમાં ધમ પરાયણતા દાખવે છે, અને છેવટે ગૃહસ્થ તરીકેની જ સ્થિતિમાં પૂર્ણ જ્ઞાન મેળવી અંતે આધ્યાત્મિક શાંતિ સંપાદન કરે છે. આ દેખીતી રીતે જ સ્વાભાવિક પ્રવૃત્તિધ છે, પણ એમાં કચાંક કાંક ચરિત્રલેખકાના સમયના વિકૃત નિવૃત્તિધર્મના રંગા પુરાઈ ગયા છે. જિનસેન અને હેમચંદ્ર અને ભરત પાસે આય વેદોની રચના કરાવે છે, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણોની સ્થાપના કરાવે છે અને બ્રાહ્મણનાં કુળકર્મો કરાવરાવે છે. આ પછી જિનસેન અને હેમચંદ્ર અજાયબી પમાડે એવી રીતે જુદે જુદે માગે વિચરે છે. જિનસેનના કથન પ્રમાણે ભરતને બ્રાહ્મણ વર્ણની સ્થાપના કર્યો પછી તેના ગુણદોષ વિશે શંકા થાય છે, ને તે શંકા નિવારવા પેાતાના પિતા ઋષભ તીર્થંકરને પ્રશ્ન કરે છે. ભગવાન ભરતને બ્રાહ્મણ વથી આવનાર ભાવિ દેાષા વર્ણવી બતાવે છે ને છેવટે આશ્વાસન આપતાં કહે છે કે જે થયું તે થયું. એનાથી અમુક લાભ પણ થયા છે, ત્યાદિ. જિનસેનને ભરતના સ્વાભાવિક જીવનને સંકુચિત નિવૃત્તિધમ માં ઢાળવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy