________________
ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર
I ૧૯
અત્યારે જેમ આપણને સાધુએ જવાબ આપે છે તેમ તે વખતે પણ એ આચાર્યો આપણા નીચેના પ્રશ્નોને જવાબ એ જ રીતે આપે. આપણે ઉંમરલાયક છોકરાછોકરીને લગ્નગ્રંથિથી બંધાવા કે ગૃહત્યાગ કરવા આખત તેમના (સાધુઓને) મત માગીએ તો તે નિર્વિવાદ એ જ મત દર્શાવે કે લગ્ન અને ગાઢ સ્થબંધન ત્યાજ્ય છે. આપણે ખેતીવાડી કે બીજા અતિ આવશ્યક ધંધાધાપા કરવા વિશે તેમના મત પૂછીએ તો તે મત આપવાના કે—ભાઈ ! એ ત કબંધન છે, નરકનું દ્વાર છે; ખેતીમાં અસખ્ય વા હણાય. અંગારક, વનક વગેરે ધધાએ તે જૈને માટે કર્માદાનરૂપ મનાયેલા હેવાથી ત્યાજ્ય છે. છેકરાછેાકરીને ધરતી તે ધંધાની તમામ તાલીમ આપવી એ માબાપનું અનિવાર્ય કર્તવ્ય ખરું કે નહિ ? એ પ્રશ્નના જવાબમાં કાં તે તે આચાર્યોએ ચૂપકી સાધવી રહી અને કાં તો તેમને નિવૃત્તિધ તેમની પાસે ભાષાસમિતિ દ્વારા એટલું જ કહેવડાવે કે એ બાબત વધારે કહેવું એ મુનિધ નથી. તમે પોતે જ યથાયાગ્ય સમજી લેા. જેમ આત્મકલ્યાણ થાય તેમ કરે! ઇત્યાદિ.
ઋષભના ચરિત્રલેખક આચાયૅના એ જ જાતના સંસ્કારો હતા. જે પ્રશ્નોનો જવાબ સ્વતંત્રપણે તેઓ નકારમાં જ આપે તે પ્રશ્નો ઋષભનું જીવન લખતાં તેમની સામે આવીને ઊભા રહ્યા. ઋષભ એટલા બધા માન્ય અને પૂજ્ય હતા કે તેમના જીવનની એકેએક ઘટનાનું સમન કર્યા સિવાય તેમનાથી ચલાવી શકાય તેમ પણ ન હતું, અને બીજી બાજુ નિવૃત્તિધર્મ વિશેના એમના સંસ્કારો એમને એ સમર્થન કરવા રાકતા. છેવટે તેમણે એ ધટનાએનું સમર્થન તે કર્યું, પણ તે સમન કહેવા પૂરતું અને અસ્પષ્ટ. હેમચંદ્ર વિવાહ વિશે લખતાં કહે છે કે ઋષભદેવે લેાકામાં વિવાહપ્રવૃત્તિ ચાલુ રાખવા લગ્ન કર્યું. તે કહે છે કે સુનંદાને સ્વીકારી તેનું અનાથપણું ટાળ્યું. તે કહે છે કે અનેક પત્નીએ અને સેકડા સતાનવાળા ગૃહસ્થધમ ભગવાને અનાસપ્તપણે આચર્યો. તે કહે છે કે અનેક પ્રકારના ધંધા ને શિપેા શીખવી ભગવાને સમાજમાં જીવનયાત્રા સુકર કરી ઉપકાર સાષ્યા. તે કહે છે કે સંતાનને યાગ્ય બનાવી તેને અધી ગૃહ-રાજ્યવ્યવસ્થા સોંપીને જ દીક્ષા લઈ ભગવાને જીવનમાર્ગમાં સામંજસ્ય સ્થાપ્યું. હેમચંદ્ર નિવૃત્તિધથી વિરુદ્ધ દેખાતા પ્રવૃત્તિધર્મના એકેએક અંગનું સમન ફ્રેંકમાં એક જ વાકયથી કરે છે કે ભગવાન વિશિષ્ટ જ્ઞાની હતા, માટે તેમણે ત્યાજ્ય ને સાવદ્ય કર્મીને પણ કવ્ય ગણી અનાસક્તપણે આચર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org