________________
૨૨૮]
નિવૃત્તિધમની દૃષ્ટિએ ઋષભજીવનની અસંગત દેખાતી ઘટનાઓ
અહી' કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરી તે ઉપર થાડાક વિચાર કરવા પ્રાસગિક લેખાશે. (૧) ભગવાન ઋષભદેવે વિવાહસંબધ બાંધ્યા. તે વખતની ચાલુ પ્રથા પ્રમાણે સગી વ્હેન સુમરેંગલા સાથે લગ્ન કરવા ઉપરાંત બીજી એક સુનંદા નામક કન્યા સાથે લગ્ન કર્યું કે જે પોતાના જન્મસિદ્ સાથીના મૃત્યુની વિપ્યૂટી અને એકલવાયી હૈાઈ વિધવા નહિ તે અનાથ હતી જ. (૨) ભગવાને પ્રજાશાસનનું કાર્ય હાથમાં લઈ સામ, દંડ આદિ નીતિ પ્રવર્તાવી અને લેકાને જીવનધમ તેમ જ સમાજધમ શીખવ્યો. (૩) જે કામ અને ધંધા વિના વૈયક્તિક તેમ જ સામાજિક જીવન તે વખતે શકય ન હતું અને આજે પણ શકય હેાઈ ન શકે તેવાં બધાં કામેા ભગવાને લાકાને શીખવ્યાં. તે વખતની સૂઝ તે પરિસ્થિતિ પ્રમાણે ભગવાને લાંકાને ખેતી દ્વારા અનાજ પેદા કરતાં, અનાજ રાંધતાં, તે માટે જોઈતાં વાસણા બનાવતાં, રહેવા માટેનાં મકાને બાંધતાં, કપડાં તૈયાર કરતાં તેમ જ હજામત અને ખીજા જીવને યાગી શિલ્પ કરતાં શીખવ્યું. (૪) પુત્ર યેાગ્ય ઉમરે પહાચતાં જ તેને જવાબદારીપૂર્વક ધર તે રાજ્યના કારભાર કરવાનું શીખવી ગૃહત્યાગપૂર્વક સાધકવન સ્વીકાર્યું. (૫) સાધક જીવનમાં તેમણે પોતાના મનેયાગ પૂર્ણ પૂર્ણ આત્મશોધ તરફ જ વાળ્યા અને આધ્યાત્મિક પૂર્ણતા સિદ્ધ કરી. આ ધટનાઓ દિગબરાચાય જિનસેન તેમ જ શ્વેતાંબરાચાય હેમચંદ્ર વર્ણવી છે,
દર્શન અને ચિંતના
અક્ષ’ગત દેખાતી ઘટનાઓનુ અસંગત સમર્થન
જિનસેન વિક્રમની નવમી શતાબ્દી તેમ જ હેમચંદ્ર વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં હતા. જ્યારે આ કે આચાર્યોએ અને ખીજા તેમના પૂર્વવર્તી કે ઉત્તરવતી આચાર્યોએ ઋષભનું જીવન આલેખવા માંડ્યું ત્યારે તેમના માનસિક સંસ્કાર અને ઋષભના જીવનની ઘટના વચ્ચે આસમાન જમીન જેટલું અંતર પડી ગયું હતું. ચરિત્રલેખક બધા જ જૈન આચાર્યોના મનમાં જૈન ધર્મના સ્વરૂપ વિશેની એક જ છાપ હતી અને તે માત્ર નિવૃત્તિધર્મ ની. દરેક આચાય એમ માનવા ટેવાયેલ હતા કે જન્મથી મૃત્યુપર્યંત નિવૃત્તિ— અનગાર ધમ અને આધ્યાત્મિક સાધના એ જ સ્વાભાવિક હાઈ તેમાં બીજું કાંઈ કરવું પડે તો તે વસ્તુતઃ કતથ્ય નથી, માત્ર ન છૂટકે જ કરવું પડે છે. આવા ખ્યાલના કારણે તે આચાર્યને સ્વતંત્રપણે ધર્મ ઉપદેશ કરવા હાય તે! તે જુદી જ રીતે કરવા પડતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org