SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ]. દર્શન અને ચિંતન બનાવશે. જ્યાં સાધુએ પિતા પોતાના સ્થાનમાં રહી કોઈ પણ કામ કરવા ઈચ્છતા હશે ત્યાં પણ એમને એમની શક્તિ અને સાધનજેનું કામ સોંપી શકાય, એવી પણ ગોઠવણું થઈ શકે. પણ આ કામ કરતાં એક એવી ક્ષણ. આવવાની કે જ્યારે સાધુભાનસની અત્યારની શકલ બદલાઈ વધારે ઉન્નત. થવાની. તેથી હું સાધુગણનાં વિકાસ અને ઉપયોગિતાની દૃષ્ટિએ અને નવ જગતની માગણીને સતિષવાની દૃષ્ટિએ ઈતિહાસની, તેમાંય શરૂઆતમાં જૈન સાહિત્યના ઈતિહાસની અગત્યતા વિશે વિચારકેનું ધ્યાન આકર્ષવા ઈચ્છું છું. આવતા ઓકટોબરના અંતમાં અમદાવાદ મુકામે ઓલ ઈન્ડિયા એરિચેન્ટલ કોન્ફરન્સ ભરાવાની છે. તેમાં તેના મુખ્ય પ્રમુખ વિશ્વવિકૃત ડૉ. સુનીતિકુમાર ચેટર્જી છે. એ કેન્ફરન્સના અનેક વિભાગો છે. તેમાં એક વિભાગ જૈન પરંપરાને લગતો પણ છે. આ વખતે તેના અધ્યક્ષ બાબુ કામતાપ્રસાદ જૈન છે. એની બધી શાખાઓમાં તે તે વિષયના વિશિષ્ટ વિદ્વાને આ દેશના જુદા જુદા ભાગમાંથી તો આવવાના જ; પણ કેટલાય નામાંકિત વિદેશી વિદ્વાનો પણ આવવાના. આ એક એવે મેળ હોય છે, જેમાં અનેક વિષયના પારગામી વિધાને એકત્ર થાય છે અને અનેક વિષયના અનેક નિબધે અનેક ભાષાઓમાં વંચાય છે, એવા વિષય પર વ્યાખ્યાને. થાય છે, ચર્ચાઓ પણ થાય છે. એ દિવસમાં જાણે એવું વાતાવરણ સર્જાય છે કે સરસ્વતીની બધી શાખાઓ કે બધી ધારાઓ દશ્યમાન થતી ન હોય . ગુજરાત માટે આ એક ખાસ આકર્ષણ છે. અમદાવાદ એક રીતે જૈન. નગર છે. એમાં ગૃહસ્થ અને ત્યાગીઓ ઘણું છે. તેઓ જે આ વાતાવરણ જેશે તે તેમને ઉપર કરેલી ચર્ચાનું હાર્દ સમજાશે. પણ અહીં તે એક બીજી વાત પણ સૂચવવી એગ્ય લાગે છે. તે એ કે, એ જ દિવસોમાં જૈન સાહિત્યના ઈતિહાસની રૂપરેખા વિચારવા અને એ અંગેના બીજા ઘણા પ્રશ્નો ઉપર ચર્ચા કરવા એક બેઠક ભરવામાં આવનાર છે. એ બેઠક કેન્ફરન્સના દિવસોથી સ્વતંત્ર હશે. તે માટે બે કે ત્રણ, દિવસ ખાસ રાખવા ધાર્યા છે. આ અંગે જૈન સાહિત્યના ઈતિહાસમાં રસ ધરાવનાર અને તજજ્ઞ એવા કેટલાક વિશિષ્ટ વિદ્વાનોને પણ આમંત્રણ અપાશે. એટલે જેઓને કેવળ આ વિષયમાં રસ હોય તેને માટે પણ પૂરતી સામગ્રી છે જ. ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ, જેમને નિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે, તેઓને ન જાણતા હેય તેમને માટે આ સ્થાને સૂચવવાનું એટલું જ છે કે “શમણુ” માસિકના આ વખતના અંકમાં પ્રગટ થયેલ તેમને “પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy