________________
ઇતિહાસની અગત્યતા [ 4 ]
આ દેશમાં કે પરદેશમાં સત્ર શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલય વગેરે વિદ્યાને સ્પતી બધી જ સંસ્થાઓમાં ઇતિહાસનું અધ્યયન એક અનિવાય વિદ્યાંગ બન્યું છે. સાહિત્ય, ભાષા કે વિવિધ કળા જ નહિ, પણ જ્ઞાનવિજ્ઞાનની એકેએક શાખા ઇતિહાસના અધ્યયન વિના અધૂરી જ મનાય છે. તેથી ગઈ કેટલીક પેઢીઓ કરતાં અત્યારની નવતર પેઢી તેા પ્રત્યેક વસ્તુને વિચાર ઇતિહાસની આંખે કરતી થઈ છે. આ રીતે આખા જગતનુવિદ્યામાનસ ઇતિહાસ માટે ભૂખ્યું છે.
ભૂતકાળ આપણી સામે નથી; તે તે શૂન્યમાં વિલય પામ્યા છે, પણ તેનાં બધાં જ પચિહ્નો તે મૂકતા ગયા છે. સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને અમાં એ પદચિહ્નોના વારસા વર્તમાન ધરાવે છે. એટલે એ વિલીન ભૂતમાં પ્રવેશ કરી તેના આત્માને સ્પવાનું સાધન આપણી પાસે છે જ. આ સ્થળે ઇતિહાસની મીજી શાખાઓની વાત જતી કરી માત્ર તાત્ત્વિક અને સાહિત્યિક ઈતિહાસને લગતી કાંઈક વાત કરવી ઇષ્ટ છે.
· જૈન ’ પત્રના વાચા મુખ્યપણે જૈન છે. તેને રસ પ્રેરે અને સામાન્ય જિજ્ઞાસુજગતની માગણીને સાષે તેમ જ માનવીય જ્ઞાનભંડાળની પૂરવણી કરે એવી એક વસ્તુ એ છે કે જૈન સાહિત્યના તેમ જ જૈન તત્ત્વજ્ઞાનને ઇતિહાસ બને તેટલાં સમૃદ્ધ સાધુનેાથી અને તદ્દન તટસ્થ દૃષ્ટિથી તૈયાર કરવાકરાવવા. એક સાથે બન્ને ઇતિહાસની આજે વધારેમાં વધારે શકયતા છે; જિજ્ઞાસુ જગતની માગણી છે. નવી જૈન પેઢી અને ભાવી પેઢીના મનને પૂરતું પોષણ આપે એવી આ એક વસ્તુ છે, તેથી આવા ઇતિહાસની અગત્યતા છે એમ હું મક્કમપણે માનું .
જૈન પરંપરાને લગતાં બધાં જ સાધના આ દેશમાં છે, જેના પાસે છે અને તે દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ઓછાવત્તા પ્રમાણમાં વિખરાયેલાં છે. સ્થૂળ સાધના ઉપરાંત સૂક્ષ્મ અને જીવન્ત સાધના પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org