________________
૨૦૮ ]
દર્શન અને ચિંતન એ મુક્તિ નથી, પણ ચિત્તશુદ્ધિ એ જ મુક્તિ છે. બંને લેખકોનું વક્તવ્ય એ છે કે ચિત્તશુદ્ધિ એ જ શાંતિને એકમેવ માર્ગ હોવાથી તે મુક્તિ અવશ્ય છે; પણ માત્ર વૈયક્તિક ચિત્તની શુદિમાં પૂર્ણ મુક્તિ માની લેવી એ વિચાર અધૂરો છે. સામૂહિક ચિત્તની શુદ્ધિ વધારતા જવી એ જ વૈયક્તિક ચિત્તશુદ્ધિને આદર્શ હવે જોઈએ અને એ હેય તે કોઈ સ્થાનાન્તરમાં કે લેકાન્તરમાં મુકિતધામ માનવા કે કલ્પવાની જરાય જરૂર નથી. એવું ધામ તે સામૂહિક ચિત્તની શુદ્ધિમાં પિતાની શુદ્ધિને ફાળો આપ એ જ છે.
૪. દરેક સંપ્રદાયમાં સર્વભૂતહિત ઉપર ભાર અપાવે છે, પણ વ્યવહારમાં માનવસમાજના હિતને પણ પૂર્ણપણે અમલ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી પ્રશ્ન એ છે કે પ્રથમ મુખ્ય લક્ષ્ય કઈ દિશામાં અને ક્યા ધ્યેય તરફ આપવું. બંને લેખકોની વિચારસરણું સ્પષ્ટપણે પ્રથમ માનવતાના વિકાસ ભણું લક્ષ્ય આપવા અને તે અનુસાર જીવન જીવવા કહે છે. માનવતાનો વિકાસ એટલે તેણે આજ સુધી જે જે સણો જેટલા પ્રમાણમાં સાધ્યા હોય તેની પૂર્ણપણે રક્ષા કરવી અને તેની મદદથી તે જ સગુણોમાં વધારે શુદ્ધિ કેળવવી અને નવા સગુણ ખિલવવા, જેથી માનવ–માનવ વચ્ચે દૂધ અને શત્રુતાનાં તામસ બળો પ્રગટવા ન પામે. જેટલા પ્રમાણમાં આ રીતે માનવતા વિકાસનું ધ્યેય સધાતું જશે તેટલા પ્રમાણમાં સમાજજીવન સંવાદી અને સુરીલું બનતું જવાનું. તેનું પ્રાસંગિક ફળ સર્વભૂતહિતમાં જ આવવાનું. તેથી દરેક સાધકના પ્રયત્નની મુખ્ય દિશા તે માનવતાના સદ્ગુણેના વિકાસની જ રહેવી જોઈએ. આ સિદ્ધાન્ત પણ સામૂહિક જીવનની દષ્ટિએ જ કર્મફલને નિયમ ઘટાવવાના વિચારમાંથી જ ફલિત થાય છે.
ઉપરની વિચારસરણી ગૃહસ્થાશ્રમને કેન્દ્રમાં રાખીને જ સામુદાયિક જીવન સાથે વૈયક્તિક જીવનને સુમેળ રાખવાનું સૂચન કરે છે. ગૃહસ્થાશ્રમમાં જ બાકીના બધા આશ્રમના સગુણ સાધવાની તક મળી રહે એવું એ સૂચન છે, કેમકે તેમાં ગૃહસ્થાશ્રમને આદર્શ જ એવો બદલાઈ જાય છે કે તે કેવળ ભેગનું ધામ ન રહેતાં ભોગ અને રોગના સુમેળનું ધામ બની જાય છે. એથી ગૃહસ્થાશ્રમથી વિચ્છિન્નપણે અન્ય આશ્રમોને વિચાર કરવાપણું રહેતું નથી. ગૃહસ્થાશ્રમ જ ચતુરાશ્રમના સમગ્ર જીવનનું પ્રતીક બની જાય છે. તે કેવળ નૈસર્ગિક પણ છે.
શ્રી. મશરૂવાળાનું એક નિરાળું વ્યક્તિત્વ એમનાં લખાણોથી સુચિત થાય છે. એ લખાણ વાંચી-વિચારીને મારી ખાતરી થઈ છે કે એમનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org