________________
સ્વરાજયને છઠું વર્ષે
[૨૫]
બ્રિટિશ અમલ હતું ત્યારે સ્વરાજ્ય ન હતું. સ્વરાજય ન હતું એમ આપણે કહેતા અને અત્યારે પણ કહીએ છીએ, ત્યારે તેને અર્થ છે એ સમજી લેવું જોઈએ. સામાન્ય પ્રજા, અમદાર વર્ગ, રાજ્ય કરતે કે સત્તા ભાગવત વર્ગ અને મૂડીદાર વર્ગ-એ બધાના અવાજ કરતાં વધારે પ્રભાવશાળી તેમ જ ધાર્યું કરે તે અવાજ બ્રિટિશ સત્તાને હતે. બ્રિટિશ અમલ જેમ જેમ સ્થપાતે ગયો તેમ તેમ તેનો કડપ અનેક રીતે વધારે ને વધારે એસતે ગયો. બ્રિટિશ સામનીતિથી કામ લેતા, દામથી પણ કામ લેતા, ભેદનીતિ તે તેમના લેહીમાં વણાયેલી રહી છે, પણ સત્તાની જમાવટ અને પ્રચારમાં તેમની દંડનીતિ એટલી બધી સખત હતી કે જ્યાં કોઈએ સહેજ વધારે પડતું માથું ઊંચક્યું કે એ મૂઓ જ પડ્યો છે. શરૂઆતમાં પિતાની સ્વછંદ સત્તા ઉપર અંકુશ મુકાયા તેથી ઘણા નાના મોટા રાજાઓ, સામતિ કે જમીનદારેએ ભાથું ઊંચક્યું, પણ તેમને એવી રીતે ભયભેગા કરવામાં આવ્યા કે બીજાઓની સાન આપોઆપ ઠેકાણે આવી. શરૂઆતમાં પિતાના ધર્મવલમાં પાશ્ચાત્ય પ્રભાવ પડવાની ધાસ્તીથી કેટલાક ધર્મગુરુઓ અને મહંતોએ પણ બ્રિટિશ સત્તા વિરુદ્ધ હિલચાલ કરી, પણ છેવટે શાણુ બ્રિટિશરેએ તેમને અભયદાન આપ્યું કે ધર્મકર્મની બાબતમાં રાજ્ય હાથ નહિ નાખે. તેથી બધા જ ધર્મપંથના આગેવાનો નિર્ભય બની ગયા, તેમ જ બ્રિટિશ સત્તાની જમાવટના એક અથવા બીજી રીતે પિોષક પણ બની ગયા. વ્યાપારી તેમ જ બીજે મૂડીદારવર્ગ એ માત્ર પોતાની કમાણી ઈચ્છતો. તેમને પણ વિદેશી માલના દલાલ થવાનું નવું દ્વાર મળી ગયું, ને તેઓને પણ રાજસત્તા વિરુદ્ધ કહેવાનું કાંઈ ન રહ્યું. આ રીતે આખા બ્રિટિશ અમલ દરમ્યાન જોઈએ છીએ કે ભણેલ અને વગસગ ધરાવનાર આ વર્ગ જાણે ઠરીને ઠીમ બેઠો. જે મોટા વર્ગને બહુ ઘસાવું પડતું, સહેવું પડતું ને આગળ વધવામાં જેને માટે દ્વાર ન હતાં અથવા નામમાત્રનાં હતાં, તે વર્ગના અસંતોષને વાચા આપનાર પ્રથમ તે કઈ હતું નહિ; અને જ્યારે વાચા આપનાર વર્ગ થયો અને વધતો ગયો ત્યારે પણ એનો અવાજ બહુ ધીરે અને અસ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org