________________
સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા
[૨૧] મેં લગભગ પચીસેક વર્ષ પહેલાં, જ્યારે બંગભંગનું પ્રબલ આંદોલન ચાલતું ત્યારે, એક સંતવૃત્તિના વિદ્યાપ્રિય જૈન સાધુને પૂછેલું કે “મહારાજશ્રી, તમે કોગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ કાં ન લો, કેમ કે એ તે રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે લડનારી અને તેથી જ જેનોની સ્વતંત્રતા માટે પણ લડનારી સંસ્થા ગણાય ?” એમણે સાચા દિલથી પિતે માનતા કે સમજતા તે જ જવાબ વાળ્યો, ‘મહાનુભાવ, એ તે દેશની સંસ્થા કહેવાય. એમાં દેશકથા અને રાજકથા જ આવવાની. વળી, રાજ્યવિધ તે એનું ધ્યેય જ છે. એવી કથાઓના અને રાજ્યવિધના અમ ત્યાગીઓને એવી સંસ્થામાં ભાગ કે રસ લેવાનું શી રીતે ધર્યું હોઈ શકે ?” ક્યારેક બીજે પ્રસંગે ઉપનિષદ અને ગીતાના સતત પાઠ એક સંન્યાસીને એ જ સવાલ પૂછે. તેમણે ગંભીરતાથી જવાબ આપે કે “ક્યાં અદ્વૈત બ્રહ્મની શાંતિ અને ક્યાં ભેદભાવથી ભરેલી ખીચડી જેવી સંક્ષોભકારી કોંગ્રેસ ! અમારા જેવા અતપંથે વિચરનાર અને ઘરબાર છોડી સંન્યાસ લેનારને વળી એ ભેદ – એ દૈતમાં પડવું કેમ પાલવે ?” પુરાણ અને મહાભારતના વીરરસપ્રધાન આખ્યાનો કહેનાર એક કથાકાર વ્યાસે કાંઈક એવા પ્રશ્નના જવાબમાં ચેમ્બુચટ સંભળાવેલું કે “જેઈ જઈ તમારી કોંગ્રેસ ! એમાં તે બધા અંગ્રેજી ભણેલા અને કશું ન કરનાર માત્ર અંગ્રેજીમાં ભાષણ આપી વીખરાઈ જાય છે. એમાં મહાભારતના સુત્રધાર કૃષ્ણને કર્મગ ક્યાં છે?” જે તે વખતે મેં કઈ ખરા મુસલમાન મોલવીને પૂછ્યું હેત તે એ પણ લગભગ એ જ જવાબ આપત કે કોંગ્રેસમાં જઈને શું કરવું ? એમાં ક્યાં કુરાનનાં ફરમાને અનુસરાય છે ? એમાં તે જાતિભેદ પોષનાર, અને સગા ભાઈઓને પારકા માનનાર લેકને શંભુમેળ થાય છે. કટ્ટર આર્યસમાજી જવાબ આપનાર હોત તો તે વખતે એમ જ કહેત કે અછૂતોદ્ધારની અને સ્ત્રીને પૂરું સમાન આપવાની વેદસંમત હિલચાલ કોંગ્રેસમાં તે કંઈ દેખાતી નથી. કેઈબાઇબલ પી જનાર પાદરી સાહેબને એવો જ પ્રશ્ન કર્યો હોત તો હિંદુસ્તાની હોવા છતાં પણ તે એ જ જવાબ આપતા કે કેગ્રેસ કઈસ્વર્ગીય પિતાના રાજ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org