SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] દર્શન અને ચિંતન નથી ભજવ્યો. શુદ્ર અને સ્ત્રીવર્ગને તે જ્ઞાનના અધિકારી ગણ તે વર્ગે તેમની પાસેથી માત્ર સેવા જ લીધી છે, પણ ક્ષત્રિય અને વૈશ્યવર્ગ કે જેમને જ્ઞાનના અધિકારી ગણ્યા હતા તેમનામાંથી પણ અજ્ઞાન દૂર કરવાનો પેલા શાસ્ત્રજીવી વર્ગે પિતાનાથી શક્ય હોય તે કોઈ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપકરીતે કરેલ નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદરોઅંદરની અદેખાઈ, ભેગવિલાસ અને કલેશને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પિતાના દેશને બચાવી ન શક્યો અને છેવટે પિતે પણ ગુલામ થયે. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ધ્યેય રાખેલું તે ધ્યેયથી તેમની સંતતિ ટ્યુત થતાં જ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલે બધે નબળો અને પેટભરુ થઈ ગયો કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો : તે શસ્ત્રજીવી રાજા-મહારાજાઓની ખુશામત કરે અને મોટપ માને. શસ્ત્રજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન-દક્ષિણ આપીને જ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યું. આમ બન્ને વર્ગની બુદ્ધિ અને સત્તાના તેજમાં બીજા આશ્રિત લેકે ચગદાઈ ગયા અને છેવટે આખો સમાજ નિર્બળ થઈ ગયે. આપણે આજે પણ મોટેભાગે જોઈએ છીએ કે કોઈ ઉપનિષદ અને ગીતાપાઠી તે શાસ્ત્રો વાંચી પાછળથી હિસાબ મૂકે છે કે દક્ષિણમાં કેટલું ઉત્પન્ન થયું. સતાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણ તરફ હોય છે. અભ્યાસને બળે શ્લેકે ઉરચાર્યે જાય છે અને આંખ કેણે દક્ષિણ મૂકી અને કોણે ન મૂકી એ જેવા તરફ ર્યા કરે છે. દુર્ગાસપ્તશતીનો પાઠ કરનાર મોટેભાગે દક્ષિણ આપનાર માટે કરે છે. ગાયત્રીના જપ પણ દક્ષિણ દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણા મેળવવા શાસ્ત્રજીવી વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની અંદરોઅંદર જે મારામારી થાય છે તેને રેટીના એક ટુકડા માટે લડતા બે શ્વાનો સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા ટુકડા માટે બે શસ્ત્રજીવીઓ હવે એ જ રીતે કેટે લડે છે. વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચિતપણાને દેષ દાખલ થયે તેની અસર બૌદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષકવર્ગ ઉપર પણ થઈ આ બે વર્ગમાં અંદરઅંદર કુસંપ અને વિરોધ દાખલ થઈ ન અટકતાં તે તેના પેટભેદોમાં પણ દાખલ થયા. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષુને અને શ્વેતાંબર ભિક્ષુ દિગં? બરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યો. ઉદારતાને બદલે બન્નેમાં સંકુચિતતા વધવા અને પિપાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષુ વર્ગમાં પણ શાસ્ત્રને નામે ખૂબ વિરોધ અને તડ જમ્યા અને આધ્યાત્મિક ગણાતાં તેમ જ આધ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy