SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] દર્શન અને ચિંતન છેવટના અર્થો સમજી તેમાં ઊંડી સમજણ અને વિવેક દ્વારા સુધારે અને વિકાસ નથી કરતા તે, તેનું આજસુધીના જીવનમાં કેવું અનિષ્ટ પરિણામ દેખાય છે એ ઈતિહાસના જ્ઞાતાને કે વર્તમાન પરિસ્થિતિ નિહાળનારને સમજાવું જરાય અઘરું નથી. સ્થૂળ ગૂંગળામણ અને સૂક્ષ્મ ગૂંગળામણ વચ્ચે અંતર છે. સ્થળ ગૂંગળામણ સાધારણ વ્યક્તિને પણ સ્પર્શે છે, જ્યારે સૂક્ષ્મ ગૂંગળામણ દીર્ધદષ્ટિ અને વિચારકનું જ ધ્યાન ખેંચે છે. '×૧૦ ની એક ખોલીમાં કોઈને પૂરવામાં આવ્યું હોય ને તે ચાલ–દોડતે ગતિશીલ માણસ હોય તે તે એટલે મૂંઝાશે કે ગમે તે રીતે દીવાલ ભેદવા અને બહાર નીકળવાને પ્રયત્ન કરશે અને જ્યારે તે બહાર નીકળી ખુલ્લું આકાશ જેશે ત્યારે જ નિરાંત અનુભવશે. પણ સમ્યગ્દષ્ટિ કે આસ્તિકતાના શરૂઆતમાં કલ્પલ અર્થના નાના ચોકામાં પુરાનાર દરેક વ્યક્તિને એનાં અનિષ્ટ પરિણામે અનુભવાતાં હોય તો પણ ગૂંગળામણ નથી થતી. તેથી તે એવા કાને માત્ર પિષત જ નથી, પણ એવા ચેકામાં જ પિતાની જાત અને પિતાના સમાજની સલામતી જુએ છે. છતાં કઈ કઈ વિરલ વ્યક્તિ દરેક સંપ્રદાય અને ફિરકામાં સમયે સમયે એવી અવશ્ય પાકે છે કે તેની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિની ગતિ–શરૂઆતના ગ્રહણ કરેલ સમ્યગ્દષ્ટિ-મિથાદષ્ટિ કે આસ્તિક-નાસ્તિક શબ્દોના અર્થની સમજણના ચુકામાં ગૂંગળાય છે તેથી તેનાં પડ ભેદી–ન અને સાચે અર્થ સમજવા મથે છે. એ મંથનને પરિણામે તેવી વ્યક્તિઓ એ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ આદિ શબ્દના પારમાર્થિક અર્થને સમજવા સુધી કે તેવા અર્થોની નજીક જવા સુધી વિકાસ કરે છે. એવી રીતે વિકાસ કરનાર વ્યક્તિઓ માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દને અર્થે કોઈ પણ રીતે વ્યકિત કે સમષ્ટિગત જીવનને હાનિકારક બનતો જ નથી. તેથી જ આપણે જોઈએ છીએ કે બુદ્ધ, મહાવીર અને તેમના જેવા બીજા સંત કે તેમને પગલે ચાલતા અનુગામીઓ પ્રજ્ઞા પ્રાસાદ ઉપર આરૂઢ થઈ પિતાની પ્રતિભા દ્વારા જુદી જુદી વાણીમાં પણ એક જ મુખ્ય વસ્તુ સમજાવતા આવ્યા છે કે જ્ઞાનને, ચિત્તનો, આત્માને વિસ્તાર કરો. ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લેક સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબ્દના પ્રાથમિક અર્થની સમજણને લીધે એમ ધારી બેઠાં છે કે જૈનેતર ગણાતું શ્રત મિથામૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy