SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ અને મિશ્ચાદષ્ટિ [ ૧૦૩ જોઈએ છીએ કે વૈષ્ણવ, શેવ અને બૌદ્ધ જેવા સમાજ સાથે જૈન સમાજને બીજી બધી બાબતમાં સમાનતા હોવા છતાં સામ્પ્રદાયિકતાને કારણે એકરસ થવામાં કેટલા પ્રત્યવાયો નડે છે! શરૂઆતમાં સમ્યગ્દષ્ટિ અને મિથાદષ્ટિની પ્રાથમિક વ્યાખ્યાએ જૈન અને જૈનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી કરી, પણ ધીરે ધીરે એ વ્યાખ્યા વધારે ટૂંકી થતાં સંકુચિતતા પણ વધારે વિકસી. જૈન પરંપરાના ચારે ફિરકામાં એ વ્યાખ્યા નવે રૂપે થવા લાગી. સ્થાનકવાસી ફિરકામાં જન્મેલ વ્યક્તિને સમ્યગ્દષ્ટિને એ અર્થ વારસાગત મળેલ હોય છે કે સ્થાનકવાસી સિવાયના બીજા જૈન ફિરકાઓના પણ ગુરુ અને આચારવિચારેને માનવા કે પાળવા તે સમ્યગ્દષ્ટિ નથી, એટલે કેઈ સ્થાનકવાસી મહાવીરને માનવા છતાં પણ તેમની મૂર્તિ, તીર્થસ્થાને અને શ્વેતાંબર કે દિગંબર પરંપરાના મનાતા મૃતને પિતાનાં આદર અને જિજ્ઞાસાની બહાર જ રાખવાને. એ જ રીતે વેતાંબર મૂર્તિપૂજક દિગંબર પરંપરાનાં મંદિર, મૂર્તિ, તીર્થ, શાસ્ત્ર, ત્યાગી ગુરુ વગેરેને અસ્પૃશ્ય નહિ તે ઉપેક્ષાદષ્ટિથી જોવાનો. દિગંબર ફિરકાની વ્યક્તિઓ પણ સ્થાનકવાસ કે શ્વેતાંબર ફિરકાના શાસ્ત્ર અગર આચારવિચારે વિષે એવી જ કરતા સેવવામાં સમ્યગ્દર્શન સાચવ્યાનું અભિમાન રાખવાની. તેરાપંથી હશે તે તે પણ ઉપરના ત્રણે ફિરકાના આચારવિચારને અનુસરવામાં કે તેને સમ્યફ લેખવામાં પિતાને આધ્યાત્મિક વિનિપાત જેવાને. જે વાત જૈન પંરપરાને ઉદ્દેશી ઉપર કહેવામાં આવી છે તે જ વાત બીજી પંરપરાને પણ તેટલે જ અંશે, બલકે ક્યારેક ક્યારેક ઘણે વધારે અંશે, લાગુ પડે છે. વૈદિક હશે તો તે જૈન, બૌદ્ધ જેવી અવૈદિક પરંપરાઓના બધા જ આચારવિચારેને તેમ જ શાસ્ત્રોને સ્પર્શ કરવામાં નાસ્તિકતા લેખશે અને વેદ-સ્મૃતિ-પુરાણ જેવાં વૈદિક ગણતાં શાસ્ત્રો સિવાયનાં શાસ્ત્રોને ધર્મદષ્ટિએ વિચારવામાં પણ આસ્તિકતાને અર્થ નહિ જુએ. તે હંમેશને માટે પિતાની જિજ્ઞાસાના પ્રદેશથી અવૈદિક ગણાતાં મૃત–પછી તે ગમે તેટલું સુસંગત અને મહત્ત્વનું હોય તે પણ–દૂર જ રાખશે. બૌદ્ધ ફિરકામાં સામ્પ્રદાયિક દૃષ્ટિએ જેણે સમ્યગ્દષ્ટિ અને મિથાદષ્ટિને અર્થ ધાર્યો હશે તે પણ તેવી જ રીતે બહેતર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રથી અસ્કૃષ્ટ રહેવામાં પિતાની સમ્યગ્દષ્ટિ પષાતી જોશે. આ રીતે જુદી જુદી ધર્મપરંપરાને અનુસરનારા અનેક સમાજ સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, આસ્તિકતા, નાસ્તિકતા જેવા આધ્યાત્મિક અને પારમાર્થિક અર્થના સૂચક શબ્દોના પ્રાથમિક, સ્થળ અને કામચલાઉ અર્થોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy