________________
દર્શન અને ચિંતન. આવતાં આસ્વાદવાં ગમતાં હોય તે એ સમાજે ગુલામીનાં બંધન તોડવામાં ઈચ્છા અને બુદ્ધિપૂર્વક, ધર્મ સમજીને જ, ફાળો આપવો જોઈએ. તેથી હું ચોકકસ માનું છું કે, જૈન યુવકે પિતાનું જીવનતંત્ર નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિવાળું વિવેકપૂર્વક પોતાની જ મેળે ગોઠવવું, એમાં પ્રાચીન વારસાની રક્ષા અને નવીન પરિસ્થિતિને બંધ બેસે એવાં તત્વોનું સંમિશ્રણ છે. નિવૃત્તિને સાચી નિવૃત્તિરૂપે ટકાવી રાખવાનો સાદો એક જ નિયમ છે અને તે એ કે જે નિવૃત્તિ સ્વીકારવી તે જીવનના ધારણ–પોષણને અંગે અનિવાર્ય આવશ્યક એવી બધી પ્રવૃત્તિનો ભાર પિતાના ઉપર જ રાખવો; બીજાએ કરેલ પ્રવૃત્તિનાં ફળો આસ્વાદવાને સદંતર ત્યાગ કરવો. એ જ રીતે જે પ્રવૃત્તિ સ્વીકારવી હોય, અને તેમ છતાં જીવનની વિશુદ્ધિ સાચવવી હોય, તે સ્વીકારેલ પ્રવૃત્તિનાં ફળને માત્ર આત્મગામી ન રાખતાં તેને સમૂહગામી બનાવવા તરફ લક્ષ રાખવું. આમ થાય તો પ્રાપ્ત થયેલ સાધન-સગવડ માત્ર વૈયક્તિક ભોગ કે નિરર્થક ભોગમાં ન પરિણમતાં તેનો સમૂહગામી સુંદર ઉપયોગ થાય અને પ્રવૃત્તિ કરનાર એટલે અંશે વૈયક્તિક તૃષ્ણાથી મુક્ત થઈ નિવૃત્તિનું તત્વ સાધી શકે. ૨. નિર્મોહ કર્મયોગ
બીજું લક્ષણ એ વસ્તુતઃ પ્રથમ લક્ષણનું જ નામ છે. અહિક અને પારલૌકિક ઈચ્છાઓની તૃપ્તિ અર્થે યજ્ઞયાગાદિ કર્મો બહુ થતાં. ધર્મ તરીકે. ગણાતાં આ કર્મો વસ્તુતઃ તૃષ્ણાજનિત હેઈ સાચે ધર્મ જ નથી, એવી. બીજા પક્ષની સાચી પ્રબળ માન્યતા હતી. ગીતાધર્મપ્રવર્તક જેવા દીર્ધદશ વિચારકેએ જોયું કે કર્મ અર્થાત પ્રવૃત્તિ વિના જીવનતંત્ર, પછી તે વ્યકિતનું હે કેસમૂહનું, શક્ય જ નથી. અને એમણે એ પણ જોયું કે કર્મ–પ્રવૃત્તિની પ્રેરક તૃષ્ણ જ બધી વિડંબનાનું મૂળ છે. આ બન્ને દેષથી મુક્ત થવા તેમણે અનાસક્ત કર્મવેગ સ્પષ્ટપણે ઉપદે. જોકે જૈન પરંપરાનું લક્ષ્ય નિર્મોહત્વ છે, પણ આખા સમાજ તરીકે આપણે કર્મ–પ્રવૃત્તિ વિના રહી કે જીવી શકવાના જ નથી. એવી સ્થિતિમાં આપણે વિચારક વર્ગે નિર્મોહ કે અનાસક્ત ભાવે કર્મયોગનો જ માર્ગ સ્વીકાર ઘટે છે. અન્ય પરંપરાઓને જે આપણે કાંઈ આપ્યું હોય તે તેમની પાસેથી કાંઈ મેળવવું એમાં આપણું હીણપત નથી. વળી અનાસક્ત કર્મયોગના વિચારોનું મૂળ આપણાં શાસ્ત્રો કે આપણું પરંપરામાં નથી એમ પણ નથી. તેથી હું માનું છું કે આ ક્ષણે દરેક વિચારક જૈન એ માર્ગનું સ્વરૂપ સમજવા અને તેને જીવનમાં ઉતારવા નિશ્ચયવાન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org