________________
૭૬ ]
દર્શન અને ચિંતન તેથી જ આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ સૌને પરિચિત એવાં વ્રતો, મહાવ્રતના અર્થને, સર્વહિતની દષ્ટિએ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે, કેટલો સૂક્ષ્મ અર્થ વિકસાવ્યો છે. ધર્મદષ્ટિના ઊર્વી કરણમાં તેમને આ મહાન ફાળે છે, જેની સાક્ષી તેમના વ્રતવિચારે અને તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓ આપે છે.
ગાંધીજી નથી, પણ તેમની સંસ્કારમૂર્તિ નવે રૂપે ઉદયમાં આવી છે. અપરિગ્રહવત હજાર વર્ષ જેટલું જૂનું. તેનાથી સૌ પરિચિત અને લાખો લેકે તેને ધારણ પણ કર્યો આવતા. પરંતુ ભૂદાનના પૂલ પ્રતીક દ્વારા એને જે
અર્થવિકાસ વિનોબાજીએ કર્યો છે તે ધર્મદષ્ટિના ઊર્વીકરણમાં એક મોટી ફાળ છે. આમાં પણ કામના અને ઈચ્છાનું શુદ્ધીકરણ તેમ જ સર્વસાધારણીકરણ છે. એમાં મૂચ્છરૂપે કામનો ત્યાગ છે, સર્વ કલ્યાણ સાધવાની વ્યાપક ધર્મદષ્ટિએ કામનાનો સ્વીકાર છે. આ રીતે આપણે ધર્મદષ્ટિના ઊદ્ધકરણના એક જાતના યુગમાં જીવી રહ્યા છીએ અને એવા ઊર્વી કરણને પ્રત્યક્ષ સમજવાની સાંવત્સરિક પર્વની ઘડીમાં શ્વાસે શ્વાસ લઈ રહ્યા છીએ.
–પ્રબુદ્ધજીવન, ઓકટોબર ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org