________________
તરંગલાલા
કે
અમે પણ મુખ્ય દ્વાર પાસે એક અનુપમ રંગમંડપ ર –અમારા વાસભવનના કર્ણ પર સમ, રાજમાર્ગના બાજુબંધ સમો. (૪૮૭). તેની એક બાજુએ, હે ગૃહસ્વામિની, વિશાળ વેદિકા બનાવી, ઉપર રત્નકંબલને ચંદરવો બાંધીને ત્યાં મારું પેલું ચિત્રપટ, ઊભું કરવામાં આવ્યું. (૪૮૮).
સારસિકને પેલી દેખરેખ
ત્યાં ચિત્રરથાને, મેં મારા પ્રિયતમની શોધ માટે મારા પ્રતિનિધિ લેખે, મારી વિશ્વાસપાત્ર, નેહપાત્ર અને ઉપકારકારી ચેટીને મૂકી. (૪૮૯), મધુર, પરિપૂર્ણ, પ્રસ્તુત, પ્રભાવશાળી અને રસિક વચનો અને ભાવોની જાણકાર સારસિકોને, હે ગૃહસ્વામિની, મેં આ પ્રમાણે કહ્યું (૪૯-); “આકાર, ઇગિત અને ભાવ દ્વારા તું અન્યનો હદયગત અર્થ જાણી શકે છે. તો મારા પ્રાણને ખાતર આટલું તું તારા હૃદયમાં ધારણ કરજે. ( ૪૧ ). જે મારો એ પ્રિયતમ આ નગરીમાં અવતર્યો હશે તો તેને આ ચિત્રપટ જોઈને પિતાના પૂર્વભવનું સ્મરણ થશે, (૪૯૨). જેણે પોતાની પ્રિયા સાથે જે સુખદુઃખ અનુભવ્યું હોય તે તેના વિયોગે જોવામાં આવતાં તે ઉત્કંઠિત થતો હોય છે. (૪૯૩). વળી જગતમાં, માણસનો ઊંડામાં ઊંડે હૃદયગત પ્રિય કે અપ્રિય ગૂઢાર્થ પ્રકટ પણે ન કહેવાયા છતાં પણ, તેની આંખોના ભાવથી સૂચિત થઈ જાય છે. (૪૯૪). ચિત્તમાં ઉગ્ર ભાવ હોય ત્યારે દૃષ્ટિ પણ તીખી હોય છે. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે દૃષ્ટિ નિર્મળ, વેત હોય છે. લજિજત થયેલાની દૃષ્ટિ પાછી વળેલી હોય છે. તે વીતરાગની દષ્ટિ મધ્યસ્થભાવવાળી હોય છે. (૪૯૫). જેણે ભોમમાં અંતરાય પડ્યાનું દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું હોય તે માણસ પારકું દુ:ખ જોઈને પણ અનુકંપાવાન અને દીન બને છે. (૪૯૬). અને લોકોમાં પણ એવી કહેતી છે કે પૂર્વભવનું મરણ થતાં, જે અત્યંત દારૂનું સ્વભાવને હોય તેને પણ મૂર્છા આવે છે. (૪૯૭).
પ્રિયતમની ઓળખને પ્રસ્તાવ
પરંતુ એનું હૃદય તો સ્વભાવે જ વત્સલ અને મૃદુ છે, એટલે તે આ ચિત્રપટ જોતાં, પોતે જે અનુભવેલું તે જ આ દુઃખ છે એમ જાણીને મૂર્ણિત થઈ જશે (૪૯૮), અને એકાએક તેનું હૃદય શાકાકુળ અને આંખ ભીની થઈ જશે. તે ખરી હકીકત જાણવાને આતુર થઈને આ ચિત્રપટ બનાવનારને વિશે પૂછપરછ કરશે (૪૯૯). તેને જોઈને તું, પરલોકથી ભ્રષ્ટ થઈને મનુષ્યોનિમાં અવતરેલા મારા પ્રાણનાથ ચક્રવાક તરીકે તેને ઓળખી લેજે. (૫૦). તેનું નામ, ગુણ, વાન, રૂપ અને વેશભૂષા બરાબર જાણી લઈને તું ને કાલે મને કહીશ તે તો હું જીવી જઈશ (૫૦૧). તે, હે સખી, મારા હૃદયનો શોક નષ્ટ થશે અને હું કામગ ભગવતી તેની સાથે સુરતસુખ માણીશ. (૫૦૨). પરંતુ જે મારા અ૮૫ પુણ્ય તે મારો નાથ તારે હાથ નહીં આવે તે સખી, હું જિનસાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગનું શરણું લઈશ. (૫૦૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org