SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ઉજાણીએ જવાનો પ્રસ્તાવ તે વેળા અમ્માએ પિતાજીને વિનંતી કરી, “બેટીએ વર્ણવેલું એ સપ્તપર્ણ વૃક્ષ જેવાનું મને ભારે કુતૂહળ છે.” (૧૭૩). પિતાજીએ કહ્યું, “ બહુ સારું. તું સૌ સ્વજને સાથે તે જોવા જજે, અને ત્યાંના સરોવરમાં કાલે તારી પુત્રવધૂઓ સાથે સ્નાન પણ કરજે.” (૧૭૪). પિતાજીએ ત્યાં જ ઘરના મોટેરાઓને અને કારભારીઓને આજ્ઞા દીધી, કાલે ઉદ્યાનમાં નાનજન કરવા માટેની તૈયારીઓ કરજે. (૧૭૫). સુશોભિત વસ્ત્રો અને ગંધમાય પણ તૈયાર રાખજે—મહિલાએ ત્યાંના સરોવરમાં નાન કરવા જશે.'(૧૭૬). હે ગૃહસ્વામિની, ધાત્રીએ, સખીઓએ તથા મારી બધી ભાઈ એ મને એકદમ અભિનંદનથી ઘેરી લીધી.(૧૭૭). પછી ધાત્રીએ મને કહ્યું, “બેટા, તારું ભોજન આ તૈયાર છે, તે જમવા બેસી જા. નહીં તો ભેજનવેળા વીતી જશે.(૧૭૮). બેટા, ભોજન વેળા થતાં જે જમી ન લે તેનો જઠરાગ્નિ બળતણ વિનાના અગ્નિની જેમ બુઝાઈ જાય છે.(૧૭૯). કહ્યું છે કે જઠરાગ્નિ જો બુઝાઈ જાય તો વર્ણ, રૂપ, સુકુમારતા, કાંતિ અને બળનો નાશ કરે.......(૧૮૬). તે ચાલ બેટા, જમી લે, જેથી કરીને વેળા વીતી જવાથી થતો કોઈ દોષ તને ન લાગે.” એ પ્રમાણે લાગણીથી મને કહ્યું. (૧૮૧) એટલે તેણે કહ્યા પ્રમાણે ઉચિત વેળા જાળવીને, મેં વર્ણ, ગંધ, રસ આદિ સર્વગુણસંપન્ન શાલિનું ભોજન કર્યું. કેવી હતી એ શાલિ ? બરાબર ખેડેલી અને દૂધે સીંચેલા કથારાઓમાં વાવેલી, ત્રણ વાર ઉખેડીને ચોપેલી, યોગ્ય રીતે વૃદ્ધિ પામીને પુષ્ટ થયેલી, લણેલી, મસળેલી, છડેલી, ચંદ્ર અને દૂધ જેવા ત વાનવાળી, પોચી, ગાઢ સ્નિગ્ધતા વાળી, ગુણ નષ્ટ ન થાય તે રીતે રાંધેલી, વરાળ ની કળે તેવી ફળફળતી, સુગંધી ઘીથી તર કરેલી અને ચટણી, પાનક વગેરેથી યુક્ત. (૧૮૨–૧૮૫). હે ગૃહસ્વામિની, પછી મને બીજા પાત્રમાં હાથ ધોવરાવ્યા અને સુગંધી ક્ષોભ વસ્ત્રથી મારા હાથ લૂછડ્યા. (૧૮૬). પછી ભોજન...માટે, પરિવારના શણગાર રૂપ મેં હાથપગના શણગાર સજવાના હેતુથી () ઘી અને તેલને સ્પર્શ કર્યો (?) (૧૮૭). કાલે તો ઉજાણીએ જઈશું એમ જાણીને ઘરની યુવતીઓનાં મુખ પર અંતરના - ઉમંગની છેષણા કરતું હાસ્ય છવાઈ ગયું, (૧૮૮). ત્યાં તે જેમાં સમાપ્ત થઈ છે દિનભરની પ્રવૃત્તિ, પ્રાપ્ત થઈ છે ચક્ષને વિષય-નિવૃત્તિ, જેને લઈને થતી કર્મથી નિવૃત્તિ ને નિદ્રાની ઉપત્તિ, એવી આવી પહોંચી રાત્રી. (૧૮૯). અંધારાને ફેડ દીપક પાસે રાખી શયનમાં હું સૂતી ને મારી એ ચાંદનીચીતરેલી રાત્રી સુખે વીતી. (૧૯૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy