SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વાચંલાલા २३ ક્ષાર અને ઔષધિઓના યોગથી ફળ ફૂલ તે પરાગ (?) ત્વરિત ઉત્પન્ન કરી શકાય છે. તેનાં કારણે। આપણે ઇંદ્રજાળમાં જેમ જોઈએ છીએ તે પ્રમાણે દર્શાવાયાં છે. (૧૫૫). ઔષધિના ગુણપ્રભાવે વૃક્ષાને તરત ઉગાડવાની (?), અથવા તેા ફળ ફૂલા કે વિવિધ રંગનું નિર્માણુ કરવાની ધણી રીતેા છે (?)’ (૧૫૬); પિતાજીએ એ પ્રમાણે કહ્યું એટલે મે એ પુદ્ગુને લાંબા સમય સુધી સૂંઘી જોયે અને બરાબર ધ્યાનથી તેને તપાસ્યા. (૧૫૭). ઊહાપાતુ અને વિચારણાની શક્તિ ધરાવતી મારી બુદ્ધિ વડે તેના રંગ, રસ, રૂપ અને ગંધના ગુણેાની માત્રાનું મેં બરાબર પરીક્ષણુ કર્યું, અને મને કારણ સમજાયું, એટલે સવિનય મસ્તક પર અંજલિ રચીને મેં, પિતાજીને નિકટના પરિચયે વિશ્વસ્ત મનથી(?) કહ્યું (૧૫૮-૧૫૯] : ‘વૃક્ષાની ભેાંય, કાળ, ઉત્પત્તિ, પાષણ, પાષણના અભાવ તથા વૃદ્ધિ એ બધું સમજ્યા પછી જ તેમની મૂળ પ્રકૃતિ અને તેમાં થયેલા વિકાર જાણી શકાય. (૧૬૦). વળી તે વિકારા કોઈ કળાવિદની પ્રયેાગવિધિને કારણે પણ ઉત્પન્ન થતા હાય છે. પરંતુ આ પુષ્પગુચ્છને વિશિષ્ટ રંગ તમે જે પાંચ કારણેાનેા નિર્દેશ કર્યો છે તેમાંનાં એકેયનું પરિણામ નથી (૧૬૧), પિતાજી, આ ગુચ્છને જે રંગ છે તે સુગંધી ને રતાશ પડતી પીળી પરાગરજના થરને લીધે છે, અને તેની વિશિષ્ટ ગોંધ સૂચવે છે કે તે ઉત્તમ પદ્મને પરાગ છે.’ (૧૬૨). એટલે પિતાજી ખેાલ્યા, · એટા, વનની વચમાં રહેલા સપ્તપર્ણીના પુષ્પમાં કમળરજ હાવાનું કઈ રીતે બંધ એસે ?' (૧૬૩), એટલે મે' કહ્યું, ‘ પિતાજી, સપ્તપણુ ના આ પુષ્પગુચ્છ કમળરજ વડે રતાશ પડતા પીળેા કઈ રીતે થયે। હશે તેના કારણનું મે પદ્ધતિસર જે અનુમાન કર્યું... છે તે તમે સાંભળેા. (૧૬૪). જે સપ્તપ` વૃક્ષનાં આ ફૂલે છે તે વૃક્ષની સમીપમાં, શરદઋતુમાં શૈાભાવૃદ્ધિ પામેલી કાઈક કમળતળાવડી હાવી જોઈ એ. (૧૬૫). ત્યાં સૂર્ય કિરણેાથી વિકસેલાં અને પેાતાની પરાગરજે રતાશ પડતાં પીળાં અનેલાં કમળામાં પરાગના લેાભે ભ્રમરવૃષઁદ ઊમટતાં હાય. (૧૬૬). ઘાટી પરાગરજની રતાશ પડતી પીળી ઝાંયવાળા એ ભ્રમરા ત્યાંથી ઊડીને બાજુના સપ્તપણુની પુષ્પપેશીઓમાં આશ્રય લેતા હૈાય. (૧૬૭). ભ્રમરä દાના પગે ચાંટેલી કમળરજના સંક્રમણથી તે સપ્તપર્ણનાં પુષ્પ કમળરજની ઝાંય પામ્યાં હાય (?) (૧૬૮). આ વસ્તુ આ જ પ્રમાણે હવામાં કશે સ ંદેહ નથી.’ એ પ્રમાણે મેં કહ્યું એટલે પેલી માલણ મેલી, ‘તમે બરાબર કળી ગયાં.' (૧૬૯). એટલે મને ભેટી, મારું મસ્તક સૂંઘી પિતાજીએ ભરેલ હૈયે અને પુલકિત શરીરે આ પ્રમાણે કહ્યું (૧૭૦) : બેટા, તે` મ` બરાબર જાણ્યા. મારા મનમાં પણ એ જ પ્રમાણે હતું, પરંતુ તું જે કળા શીખી છે તેના પરીક્ષા કરવા પૂરતુ ંજ મેં તને પૂછ્યું હતુ.(૧૭૧). શાદરી, તને વિનય, રૂપ, લાવણ્ય, શીલ અને ધર્માં વિનય—એવા ગુણાથી યુક્ત ઉત્તમ વર જલદી મળજો.’ (૧૭ર), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy