________________
તાલાલા
તરંગવતીને જન્મ, બચપણ, તાણય તરંગવતીને જન્મ
હે ગૃહસ્વામિની, હું તેની પ્રિય પુત્રી તરીકે જન્મી હતી; આઠ પુત્રની પછી માનતાથી પ્રાપ્ત થયેલી હું સૌથી નાની હતી. (૧૦૨). કહે છે કે મારી માતાની સગર્ભાવસ્થા (2) સુખપૂર્વક અને દોહદની પૂર્તિ સાથે વીતતાં, સિંહના સ્વપ્નદર્શનપૂર્વક મારો જન્મ થયો અને ધાત્રીઓએ મારી પૂરતી સંભાળ લીધી. (૧૦૩). મિત્રો અને બાંધવોને, કહે છે કે અત્યંત આનંદ થશે અને મારાં માતાપિતાએ વધામણી કરી. (૧૦૪). યથાક્રમે મારું બધુંયે જાતકર્મ પણ કહે છે કે કરવામાં આવ્યું, તથા પિતાજી સાથે વિચાર કરીને મારા ભાઈ એાએ મારું નામ પાડયુ (૧૫)-“જળસમૂહે સભર (?), અને ભંગુર તરગે વ્યાત એવી યમુનાએ, માનતાથી (પ્રસન્ન થઈને) આ દીધી, તેથી આનું નામ ‘‘તરંગવતી” હે.” (૧૦૬).
અચપણ
કહે છે કે હું મૂઠી બીડી રાખતી, અવકાશમાં પગ ઉછાળતી, અને પથારીમાં ચત્તી સૂતી હોઉં તેમાંથી ઊથલીને ઊધી થઈ જતી. (૧૦૭). તે પછી કહે છે કે અંકયાત્રી અને ક્ષીરધાત્રીએ એક વાર રમાડતાં રમાડતાં મને વિવિધ મણિમય છાબંધ બેય પર પેટે ખસતાં શીખવ્યું. ૧૯૮). હે ગૃહિણી, મારા માટે કહે છે કે રમકડાંમાં સોનાની ખંજરી અને વગાડવાના ઘૂઘરા ને સોનાના ઘણુ લખેટા (3) હતા. (૧૦૯). હંમેશાં પ્રસન્ન અને હસમુખી,
અહીં, અહીં આવ” (એમ બેલતા) ભાઈ એના ખોળામાં ખેલતી હું, કહે છે કે વારંવાર ખિલખિલ હસી ઊઠતી. (૧૧૦). લોકોના અનુકરણમાં કહે છે કે હું આંખ અને હાથથી ચેષ્ટાઓ કરતી અને મને બોલાવતાં ત્યારે હું અપષ્ટ, મધુરા ઉદ્ગાર કાઢતી. (૧૧૧). માતાપિતા, ભાઈઓ અને સ્વજનાના એક ખોળામાંથી બીજા ખોળામાં ઊંચકી લેવાતી હું થોડોક સમય જતાં ડગલાં માંડવા લાગી. (૧૧૨). વણસમયે અસ્પષ્ટ અ તાતા એમ બોલતી હુ બાંધવોની પ્રીતિને કહે છે કે વધુ ગાઢ કરતી હતી. (૧૧૩). ચૂડાકર્મનો સંસ્કાર ઊજવાઈ જતાં, હુ દાસીઓના જૂથથી વીટળાઈ યથેચછ હરતીફરતી એમ લેકેએ મને કહ્યું છે (૨) (૧૧૪). સોનાની ઢીંગલીઓથી ને રેતીનાં ઘેલક કરીને હું રમતી (અને એમ) સહિયરાના સાથમાં મેં બાળક્રીડા માણી. (૧૧૫). વિદ્યાભ્યાસ
પછી ગર્ભાવસ્થાથી આઠમે વરસે મારે માટે ચાર પ્રકારની બુદ્ધિવાળા, કળાવિશારદ, અને ધીર પ્રકૃતિના આચાર્યો લાવવામાં આવ્યા. (૧૧). (તેમની પાસેથી) મેં લેખન, ગણિત, રૂપકર્મ, આલેખ્ય, ગીત, વાદ્ય, નાટય, પત્રછેદ્ય, પુષ્કરગત-(એ કળાઓ) ક્રમશ: ગ્રહણ કરી. (૧૧૭). મેં પુષ્પપરીક્ષામાં તથા ગંધયુક્તિમાં નિપુણતા પ્રાપ્ત કરી. (આમ) કાળક્રમે મેં વિવિધ લલિતકળાઓ ગ્રહણ કરી. (૧૧૮). “ અમારા કુળધર્મ શ્રાવકધર્મને અનુસરતા મારા પિતાજીએ અમૃતતુલ્ય જિનમતમાં મને તેમની કન્યાને નિપુણ કરી (૧૧૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org