SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા ૧૭૩ ત્યાં નિંદ્ય કર્મ કરનારા, રાની પશુઓના કાળ સમાં વ્યાધોની, ચોતરફ જંગલથી ઢંકાયેલી એક વસાહત હતી. (૧૩૭૩). તેમની ઝૂંપડીના આંગણુના પ્રદેશ, ત્યાં આગળ સૂકવવી મૂકેલાં લોહીનીંગળતાં માંસ, ચામડા અને ચરબીથી છવાયેલા હોઈને સંધ્યાનો દેખાવ ધરી રહ્યા હતા. (૧૩૭૪). વ્યાધપત્નીઓ રાતી કામળીનાં ઓઢણું એાઢીને લોહીનીંગળતા કે સૂકા માંસને ભરીને જતી દીસતી હતી. (૧૩૭૫). ત્યાં વ્યાધપત્નીઓ મોરપિચ્છથી શણગારેલું એાઢણું ઓઢીને હાથીના દંકૂશળને સાંબેલા વડે ખાંડવાનું કામ કરી રહી હતી. (૧૩૭૬). વ્યાધ તરીકેને પૂર્વભવ ત્યાં હું આની પહેલાંના ભાવમાં પ્રાણીઓને ઘાત કરનારો, હાથીના શિકારમાં કુશળ, માંસાહારી વ્યાધ તરીકે જન્મ્યા હતા. (૧૩૭૭). દરરોજ ધનુવિધાને અભ્યાસ કરીને તેમાં નિપુણ બનેલા મેં પ્રબળ પ્રહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરી. બાણાવળી તરીકે પ્રખ્યાત બનેલો હું અમેઘકાંડ નામે જાણીતો હતો. (૧૩૭૮ ). મારો પિતા સિંહ પણ દઢપ્રહારી અને અચૂક લવાળો હેઈને પિતાને કામે કરીને વિખ્યાત હતો. (૧૩૭૯). મારા પિતાને ઘણું વહાલી, વન્યવેશ ધારણ કરતી અટવીશ્રી નામે વ્યાધબાલા મારી માતા હતી. (૧૩૮૦). જ્યારે હું પુખ્ત વયનો થયો અને એક જ બાણ છોડીને હાથીને પાડવા લાગ્યો, ત્યારે મને પિતાએ કહ્યું, “આપણો કુળધર્મ શું છે તે તું સાંભળ (૧૩૮૧) : વ્યાધને કુળધામ વ્યાધના કોશ અને ઘરનું રક્ષણ કરનાર શ્વાનને અને બીજ પાડવાને સમર્થ એવા જૂથપતિ હાથીને તારે કદી મારવો નહીં. (૧૩૮૨). બચ્ચાંની સારસંભાળ કરતી, પુત્રસ્નેહથી પાંગળી અને વ્યાધથી ન ડરતી એવી હાથણીને પણ તારે મારવી નહીં. (૧૩૮૩. એકલું પડયું ન હોય, તેવું નાનું, ભેળું, દુધમુર્ખ હાથીનું બચ્ચું પણ તારે મારવું નહીં– બચ્ચે આગળ જતાં મોટું થશે એવી ગણતરી રાખવી. (૧૩૮૪). કામવૃત્તિથી ઘેરાયેલી, બચ્ચાની જનની થનારી હાથણી જ્યારે ક્રીડારત હેય ત્યારે તેને હાથીથી વિખૂટી ન પાડવી. (૧૩૮૫). આ કુલધર્મનું તું પાલન કરજે. કુળધર્મને જે નષ્ટ કરે, તેના કુળની અવગતિ થાય. (૧૩૮૬). બેટા, બીજનો વિનાશ ન કરતો અને કુળધર્મની સારી રીતે રક્ષા કરતો રહીને તું તારો ધંધો કરજે અને આ જ વાત તારાં સંતાનોને પણ કહેજે. (૧૩૮૭). વ્યાધજીવન એ પ્રમાણે હું બરાબર આચરણ કરતો, વ્યાધિને ધંધો કરતો, વન્ય પ્રાણીઓથી ભરેલા એ જંગલમાં શિકારથી ગુજારો કરવા લાગ્યો. (૧૩૮૮). ગેડ, જંગલી બળદ, હરણ, જંગલી પાડા, હાથી, ભૂંડ વગેરેને હું ભારતે. (૧૩૯૯). સમય જતાં વડીલેએ મને અમારી જ જાતની મનગમતી, સુંદર, સુરતસુખદા તરૂણી પરણાવી. (૧૩૯૦). સ્તનયુગલથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy