________________
તરંગલેલા
પવિત્ર પુપો વડ દેવતાઓની મોટા પાયા પર પૂજન કરવામાં, એટલે જ્યાં વંદનમાળાઓ લટકાવવામાં આવી છે અને દ્વાર પર કમળવાળા ઝળહળતા કળશ મૂક્યા છે તેવા અને ફરતા કેટથી શોભતા તે મહાલયમાં, પૂરા થયેલા મનોરથને કારણે પ્રસન્ન એવા મારા પ્રિયતમે પ્રવેશ કર્યો અને અમે બંને ત્યાં ઊતર્યા. (૧૨૧૯-૧૨૨૦) પછી, કરેલા અપરાધને લીધે લજજા પ્રકટ કરતી એવી મેં પણ લોકોની ભારે ભીડવાળા શ્વસુરગૃહના વિશાળ ને સુંદર પ્રાંગણમાં પ્રવેશ કર્યો. (૧૨૨૧).
સ્વાગત અને પુનર્મિલન
ત્યાં ઘરના બધા માણસોની સાથે એને શ્રેષ્ઠી સાર્થવાહની સાથે ઊંચા આસન પર બેઠેલા હતા. (૧૨૨૨). એટલે અમને જોઈ રહેલા, સાક્ષાત દેવ સમા એ વડીલના ચરણકમળમાં અમે હાંફળાફાંફળાં નમી પડવાં. (૧૨૨૩). તેમણે અમને આલિંગન દીધું, અમારાં મસ્તક સૂયાં, અને આંસુની ગળતી બને તે વેળા અમને ક્યાંય સુધી તેઓ જતા રહ્યા. (૧૨૨૪). પછી મારાં સાસુજીના પગમાં અને પડ્યાં. અઢળક અ સુ સારતાં, પાને મૂકતાં તે અમને ભેટવ્યાં. (૧૨૨૫). તે પછી હું વિનયથી મસ્તક નમાવીને અનુક્રમે, આંસુભરી આંખેવાળા મારા ભાઈઓના ચરણમાં પઈ (૧૨૨ ૬). બીજા સૌ લેકને પણ અમે હાથ જોડીને બેલાવ્યા, તયા સૌ પરિચારકવર્ગ અમારા પગે પડ્યો. (૧૨૨૭). ધાત્રી અને સારસિકાએ, રોકી રાખેલા આંસુને વહેવા દીધાં–વેલ પરથી ઝાકળબિંદુ ખરે તેમ તે ખરી રહ્યાં. (૧૨૨૮). પછી શ્રેષ્ઠી અને સાર્થવાહને માટે મેં ધોવા ગજમુખના આકારવાળી સોનાની ઝારીમાં જળ લાવવામાં આવ્યું (૧૨૨૯).
હે ગૃહસ્વામિની, રવસ્થ થઈને ત્યાં અમે બેઠાં એટલે અમારા સૌ બાંધવએ કુતૂહલથી અમારા પૂર્વ ભવ વિશે પૂછયું. (૧૨૩૦). તેમને મારા પતિએ ચક્રવાક તરીકેનો અમારો સુંદર ભવ, મરણથી થયેલો વિયોગ, ચિત્રના આલેખન દ્વારા સમાગમ, ઘરમાંથી નાસી જવું, નોકામાં બેસીને રવાના થવું, નૌકામાંથી કાઠે ઊતરવું, ચોર દ્વારા અપહરણ, ચોર પલ્લીમાં પ્રાણસંકટ, ત્યાંથી ચોરની દેખભાળ નીચે પલાયન થવું, જંગલમાંથી બહાર નીકળવું, ક્રમશઃ વસતિમાં પ્રવેશ અને કુમાષહસ્તી સાથે મિલન–એમ બધું જે પ્રમાણે અનુભવ્યું હતું તે પ્રમાણે કહી બતાવ્યું. (૧૨૩૧-૧૨૩૪). આયપુત્રે કહેલું કે અમારું વૃત્તાંત સાંભળીને અમારા બંને પક્ષોએ શાકથી સદન કર્યું. (૧૨૩૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org