________________
તરગાલા
દેવીને જાગ કરવો એવી પ્રથા છે. (૯૯૦). તો તેમને દિવસે જાગમાં આ યુગલને વધ કરવાનો છે. એટલે તેઓ પલાયન ન થઈ જાય તે રીતે તે તેમની સ ભાળથી ચોકી રાખજે.” (૯૯૧). આ સાંભળીને તરત જ મારું હૃદય મરણના ભયથી મિશ્રિત ને ઉત્તરોત્તર વિસ્તરતા એવા શાકથી ભરાઈ ગયું. (૯૯૨).
પદેવ બંધનમાં
પછી પિતાના સ્વામીનું વચન હાથ જોડીને સ્વીકારીને તે ચોરયુવાન અમને તેના રહેઠાણે લઈ ગયા. (૯૯૩). તે પછી વગર વાંકે શત્રુ બનેલા તે ચોરે હાથને બળપૂર પાછળ મરડીને મારા પ્રિયતમનાં અંગેઅંગ બાંધ્યાં. (૯૯૪). એટલે પ્રિયજનની આપત્તિથી ભભૂકી ઊઠેલા દુ:ખે હું, જેમ નાગયુવાન ગરુડ વડે પ્રસાતાં નાગયુવતી વિલાપ કરે તેમ વિલાપ કરતી બેય પર પડી. (૯૫). વિખરાયેલા કેશકલાપ સાથે, આંસુના પુરે રૂંધાયેલી આંખે હું પ્રિયતમનું બંધન વારવાનું કરતી તેને ભેટી પડી. (૯૯૬). “ અનાર્ય, તું એને બદલે મને બાંધ, જેના કારણે આ પુરુષહસ્તી, જેમાં મુખ્ય હસ્તિનને ખાતર વાર હસ્તી બંધન પામે તેમ, બંધન પામ્યો છે.” (૯૯૭). આલિંગન આપવામાં સમર્થ, સુંદર, જાનુ સુધી લંબાતી એવી પ્રિયતમની ભુજાઓને પીઠ પાછળ એક બીજી સાથે લગોલગ રાખીને તેણે બાંધી દીધી. (૯૯૮). તેનાં બંધન છોડવાની મથામણ કરતી મને, રોષે ભરાયેલા તે ચરે લાત મારી, ધમકાવીને એક કોર ફેંકી દીધી. (૯૯૯). બંધનની વેળાએ જે મારા પ્રિયતમ શૈર્ય ધારણ કરીને વિષાદ ન પામે, તે મને કરાયેલા પ્રહાર અને અપમાનથી ઘણે દુઃખી થ. (૧૦૦૯).
રડતો રડતો તે મને કહેવા લાગ્યું, “અરેરે પ્રિયા, મારે કારણે, પહેલાં તે કદી ન સહેલું એવું મરણથી પણ અધિક કષ્ટદાયક આ અપમાન તારે વેઠવું પડ્યું. (૧૦૦૧). હું મારા પિતા, માતા, બંધુવર્ગને અથવા તો મારા પિતાને પણ એટલો શોક નથી કરતે, જેટલો આ તારા નવવધૂપણાની અવદશાને શોક કરું છું.” (૧૦૦૨). એ પ્રમાણે બેલતા તેને તે ચરે, કઈ ગજરાજને બાંધે તેમ ખીલા સાથે પાછળથી બાંધી દીધો (૧૦૦૩).
એમ બંધન વડે તેને પિતા વશ બનાવીને તે નિર્દય ચેર પડાળી(છજા)ને અંદર ગયો અને શેકેલા માંસ સાથે તેણે દારૂ પીધો. (૧૦૦). મરણના ભયે ત્રસ્ત, અત્યંત ભયભીત એવી હું પ્રિયતમને કહેવા લાગી, “અરેરે કાંત, આ ભયંકર પલીમાં આપણે મરવું પડશે. (૧૦૦૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org