________________
૨
अथ द्रव्यसमुद्देशः ।
૧
દ્રવ્યસમુદ્દેશ
आत्मा वस्तु स्वभावश्च शरीरं तत्त्वमित्यपि । द्रव्यमित्यस्य पर्यायास्तच्च नित्यमिति स्मृतम् ॥१॥
આત્મા, વસ્તુ, સ્વભાવ, શરીર અને તત્ત્વ (સમુદાય), આ બધા દ્રવ્યના પર્યાા છે; અને તે(દ્રવ્ય)ને નિત્ય કહેવામાં આવ્યુ છે. (૧)
જાતિ સમુદ્દેશમાં અગાઉ પદાર્થને તિ અથવા દ્રવ્ય રૂપે, વૈયાકરણુ મત પ્રમાણે સમજવામાં આવ્યા હતા. મીમાંસક મતમાં જાતિને પદના અર્થરૂપે સ્વીકારવામાં આવી છે. વૈયાકરણ પરંપરામાં વાજ્રાયનને મતે પદને અંતિ છે અને વ્યાદ્ધિને મતે પદના અર્થોં દ્રવ્ય અર્થાત્ વ્યક્તિ છે. જાતિની ચર્ચા પહેલાં સામુદ્દેશમાં કરવામાં આવી. હવે દ્રવ્યતી ચર્ચા કરવામાં આવે છે. હેલારાજ દ્રવ્યને એ પ્રકારે સમજે છે, પારમાર્થિક અને સાંવ્યવહારિક. આ સમુદ્દેશમાં પહેલા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે.
અદ્વૈતવાદીઓને મતે આત્મા દ્રવ્ય છે. હેલારાજ મહાભાષ્યવચન જોડ્યમામા સાં નામા (૧. પૃ. ૪૧)માં આત્મા શબ્દને દ્રવ્યના અર્થમાં સમજે છે, બૌદ્ધૌ દ્રવ્યને સ્વલક્ષણૢ વસ્તુ રૂપે સમજે છે. સત્તાને માનનારા અદ્વૈતવાદીએ સ્વભાવ અર્થાત્ સત્તા જે સત્ર રહેલી, નિત્ય, એક અને ઉપાધિ વિનાની છે, તેને દ્રવ્ય કહે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ એવાં ચાર તત્ત્વાથી જુદું કેાઈ દ્રવ્ય નથી એમ ચાર્વાકા કહે છે.
Jain Education International
सत्यं वस्तु तदाकारैरसत्यैरवधार्यते ।
અપચોિિમ શનૈઃ સત્યમેવ મિધીયતે રા
વસ્તુ (=દ્રવ્ય)ના તેના અસત્ય (ઘટ, પટ વગેરે) આકારો વડે સત્ય નિશ્ચય થાય છે. અસત્ય ઉપાધિઓના (વાચક) શબ્દો વડે સત્ય (દ્રવ્ય)નું જ અભિધાન થાય છે. (૨)
હેલારાજ આ કારિકાનું અદ્વૈતમતપરક અČદન કરાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org