SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ ઉપાયથી સાથેનું જ્ઞાન ઘટતું નથી નથી જ, કારણ કે વિષની આશંકા પણ મૂછરૂપ કાર્યનું કારણ છે; શંકા એ બુદ્ધિ છે અને બુદ્ધિ કારણ નથી એમ નહિ, બુદ્ધિ અસત્ નથી. [ અર્થાત તમે આપેલા દૃષ્ટાંતમાં અસત્ય સર્પદંશ મૂછનું કારણ નથી પરંતુ પિતાને સર્પદંશ થયે છે એવી બુદ્ધિ મૂછનું કારણ છે, અને આવી બુદ્ધિ અસ્તિત્વ ધરાવતી નથી એમ નહિ.] 94. यदपि लिप्यक्षराणामसत्यानां सत्यार्थप्रतिपादकत्वमुच्यते, तदप्यनभिज्ञभाषितम् । रेखाः तावत् स्वरूपतः सत्याः । ताश्च खण्डिकोपाध्यायोपदेशसंस्कृतमतेवर्णानुमापिका भवन्ति । तथा सम्बन्धग्रहणाद् रेखानुमितेभ्यश्च वर्णेभ्योऽर्थप्रतिपत्तिरिति नासत्याः सत्योपायाः । 94 વળી, અસત્ય લિયક્ષરે સત્યાર્થના પ્રતિપ્રાદક છે એમ તમે જે કહ્યું તે પણ અનાની કરે એવી વાત છે. રેખાઓ તે સ્વરૂપત સત્ય જ છે. ઉમ ઉપાધ્યાયના ઉપદેશથી જેની બુદ્ધિ સંસ્કાર પામી છે એવાને તે રેખાએ વર્ગોનું અનુમાન કરાવે છે. રેખા અને વર્ણ વચ્ચેના સંબંધના ગ્રહણને લીધે રેખા ઉપરથી વર્ણનું અનુમાન થાય છે અને અનુમિત વર્ષો અર્થનું જ્ઞાન કરાવે છે; એટલે અસત્ય રેખાઓ સત્યને [ અર્થને ] ઉપાય છે એમ કહેવું ખોટું છે. 95. 'अयं गकारः' इति तु सामानाधिकरण्यभ्रमो लिङ्गलिङ्गिनोरभेदोपचारात् । यथा प्रस्थमिताः सक्तवः प्रस्थशब्देनोच्यन्ते तथा रेखातोऽपि गकारानुमानाद् रेखैव गकार इत्युच्यते । एवमनिष्यमाणे लिप्यनभिज्ञस्यापि ततोऽर्थप्रतिपत्तिः स्यात्, रेखाणामसत्यवर्णात्मनां विद्यमानत्वात् , न चैवमस्ति । तस्माद्वर्णानुमानपुरस्सरैव रेखाभ्योऽर्थावगतिः । अभ्यस्तत्वाद्विषयस्य सूक्ष्मत्वाच्च कालस्य क्रमो न लक्ष्यते, न त्वन्यथा ततोऽवगतिः । तस्मात् पारमार्थिकत्वात् पदतदर्थानां न निरवयवौ वाक्यवाक्यार्थाविति स्थितम् । 95. “આ [ રેખા ] ગકાર ( = ગવણ ) છે' એવો સામાનાધિકરણ્યનો (=અભેદને) ભ્રમ તે લિંગ ( = હેતુ) અને લિંગી ( =ન્સાધ્ય) ને અભેદપચારને કારણે થાય છે. જેમ પ્રસ્થથી મપાયેલા સકતુઓ “પ્રસ્થ' શબ્દથી જણવાય છે, તેમ ગકાર (= ગવર્ણ ) રેખાથી અનમિત થતું હોવાથી રેખા જ ગકાર છે” એમ કહેવાય છે. જો આમ ન ઇચછવામાં આવે તે લિપિથી અજાણું વ્યક્તિને પણ રેખા દ્વારા અર્થનું જ્ઞાન થાય, કારણ કે [ તમારા મત પ્રમાણે ] અસત્ય વણરૂપ રેખાઓ તો ત્યાં વિદ્યમાન છે, પરંતુ આમ થતું નથી. તેથી, રેખાઓ વર્ગોનું અનુમાન કરાવી તે દ્વારા અથનું જ્ઞાન કરાવે છે. વિષયને અભ્યાસ હોવાને લીધે તેમ જ બહુ જ છે કાળ આ પ્રક્રિયામાં લાગતો હોવાને લીધે ક્રમ જણાતું નથી; અન્યથા ( અર્થાત રેખાઓ દ્વારા વર્ષોના અનુમાન વિના) રેખાઓમાંથી અર્થનું જ્ઞાન થતું નથી. નિષ્કર્ષ એ કે પદ અને પદાર્થ પારમાર્થિક હોઈ વાક્ય અને વાક્યથ નિરવયવ નથી એ સ્થિર થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy