SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કમાવીઓ સાથે મળી એક કાર્ય કરી શકે છે તેમાં સમર્થન ननु ग्राससंस्थादीनां युक्तं समस्तानां क्रमभावित्वं यतः कार्यमपि तदीयं तृप्त्यादि क्रमेण निर्वय॑मानं दृश्यते । वर्णेभ्यस्तु क्रमेण श्रयमाणेभ्यः न यावती तावती अर्थावगतिमात्रा निर्वय॑माना दृश्यते । 35. વેદમાં પણ “ રઘુનrarખ્યામ્' = (‘દર્શપૂર્ણ માસથી”) એમ એકબીજાને યોગ જણાવતા ઇન્દ સમાસથી દલિત સાહિત્યવાળા (= સામત્યવાળા) અને શુક્લપક્ષ અને કષ્ણપક્ષમાં જેમને પ્રયોગ ક્રમથી જ થાય છે એવા આગ્નેય આદિ યાગો એક ફળ ઉત્પન્ન કરતા દેખાય છે. [ દશયાગ સુદ એકમે થાય છે અને પૂર્ણ માસયાગ પૂનમે થાય છે. શિયાળ એક આગ્નેય અને બે સાન્નાટ્ય એમ ત્રણ યાગાને સમુદાય છે. પૂર્ણમાસયાગ એ આગ્નેય, અગ્નીમીય અને ઉપાંશુ એ ત્રણ ભાગોને સમુદાય છે. એકલા સાંગ દશથી કે એકથા સાંગ પૂર્ણ માસથી સ્વગરૂપે ફળ ઉત્પન્ન થતું નથી, પરંતુ પરસ્પર ભેગા મળી સાંગ એવા તે બંને ફલાપૂર્વ દ્વારા સ્વર્ગને ઉત્પન્ન કરે છે, એમ “પૂfમાસાભ્યાં શ્વાનો યત એ વાક્યથી જ્ઞાત થાય છે. આથી સ્વર્ગજનક ફલા પૂર્વની પહેલાં, સાંગ દર્શ અને સાંગ પૂર્ણ માસ એ બંનેનું જુદું જુદું એક એક સમુદાયાપુર્વ સ્વીકારવું પડશે કે જે દ્વારા તેઓ (દર્શ અને પૂર્ણમાસ એ બે સમુદા-દર્શના ત્રણ વાગોને સમુદાય અને પૂર્ણમાસના ત્રણ વાગોને સમદાય) એક બીજાને સહકાર સાધી કલાપને પેદા કરી તે દ્વારા સ્વર્ગ ઉત્પન્ન કરી શકે. વળી, ઉપયુક્ત આ પ્રત્યેક સમુદાયાપૂર્વ” પણ સાંગ દશ સમુદાયથી કે સાંગ પૂર્ણ માસ સમુદાયથી ઉત્પન્ન થતું હોવાથી, તત્તસમુદાયધટક પ્રત્યેક પ્રધાન યોગથી જન્ય એક એક ઉત્પજ્યપૂર્વ સમુદાયપૂર્વની પહેલાં સ્વીકારવું આવશ્યક છે, જેથી ભિન્નકાલીન હોવા છતાં તે પ્રધાન યાગોને સમુદાયટકતા તેમ જ સાંગતા પ્રાપ્ત થઈ શકે છે. તે જ પ્રમાણે, અ ગેને પણ સમુદાયઘટક પ્રધાનનું સાહિત્ય પ્રાપ્ત કરવા પ્રત્યેક અંગજ જુદુ જુદુ એક ઉપપૂર્વ સ્વીકારવું આવશ્યક છે જ. નિષ્કર્ષ કે દરેક અંગના ઉપરાપૂર્વથી યુક્ત જે દર્શધટકપ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયાવ ઉત્પન્ન થાય છે, તેમ જ દરેક અંગના ઉત્પન્યપૂર્વથી યુક્ત જે પૂર્ણમા ઘટકપ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયાપૂર્વ ઉત્પન્ન થાય છે. આ બે સમુદાય પૂર્વોથી એક પરમાપૂવ ( = ફલા પૂર્વ) ઉતપન્ન થાય છે. અને આ કલાપૂર્વથી 5 વખતે સ્વરૂપે ફળ પેદા થાય છે. આ જ વસ્તુને સંક્ષેપમાં સરળ રીતે આ પ્રમાણે મૂકી શકાય દર્શમાં ત્રણ વાગે કમથી થાય છે અને પૂર્ણમાસમાં પણ ત્રણ વાગે ક્રમથી થાય છે દશ સુદ એકમે થાય છે અને પૂર્ણમાસ પૂનમે થાય છે. આમ તેમને પણ ક્રમ છે. દશ અને પુણેમાસ ભેગા મળીને જ એક ફળ સ્વર્ગ ઉત્પન્ન કરે છે આગ્નેય અને બે સાન્તાય એમ ત્રણ વાગે સાથે મળી દશયાગ થાય છે. આગ્નેય. અનીષોમીય અને ઉપાંશુ એ ત્રણ વાગે સાથે મળી પૂર્ણમાસયાગ થાય છે. અને દશે અને પૂર્ણમાસ સાથે મળી એક ફળ સ્વગ પેદા કરે છે. આમ અહીં ક્રમભાવી ત્રણ વાગેનું સામત્ય અને ક્રમભાવી દશ અને પૂર્ણમાસનું સામાન્ય વેદમાં સ્વીકારાયું છે જ. ] વળી, તિષ્ઠોમમાં સમરસ ભરેલાં અનેક પાત્રોમાંથી પેન્દ્રવજવં જ્ઞાતિ” ( “ઐન્દ્રવાયુનું પાત્ર પ્રહાણું કરે છે') “અશ્વિને #તિ' (“અશ્વિનનું પાત્ર ગ્રહણ કરે છે') એમ સેમ ભરેલાં પાત્રોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy