SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સહ૫લભ અભેદ ન પુરવાર કરી શકે આ હેતુ અસિદ્ધ બનશે, કારણ કે નીલાદિગ્રાહ્યના ગ્રહણ વખતે તેના ગ્રાહકની અનુપલબ્ધિ હોવાથી ગ્રાહકાકારાનુધથી રહિત અને પરિણામે ગ્રાહકાકારથી વિછિન (ભિન્ન) એવા બાહ્ય ગ્રાહ્યમાત્રનો પ્રતિભાસ જ આ નીલ છે' ઇત્યાદિ અમે દર્શાવ્યો છે; કોઈક વાર ગ્રાહ્યાકારથી અસ્પૃષ્ય, કેવળ ગ્રાહકને અવમશ” પણ દેખાય છે, જેમકે “હું સ્મરતે નથી કે મેં ત્યારે કોઈ અર્થ ગ્રહણ કર્યો હતો ?' તેથી, આમ એકબીજાથી પૃથફ જ્ઞાનાકાર અને અર્થાકારનું સંવેદન થતું હતું, “એકની જ ઉપલબ્ધિ થતી હોઈ નીલ-નીલજ્ઞાનનો અભેદ છે'' એમ કેવી રીતે કહેવાય ? ઉપરાંત “નીલ અને નીલજ્ઞાનનો' એમ કહીને તમે પણ આ ભેદને જ નિર્દેશ કર્યો છે જે તમે કહો કે અમે તો પરમતને અનુવાદમાત્ર કર્યો છે તે તે બરાબર નથી, કારણ કે અભેદ હોય તો તે બેને પૃથફ નિર્દેશ પણ ઘટે નહિ. તેથી પણ જ્ઞાનને આ આકાર નથી. (અર્થાત, નીલાકાર જ્ઞાનને જ છે, બાહ્ય અર્થને નથી એ તમારો મત બેઠો છે.) 17s. થુમ્ “ગાપિ વધે એ સ્વાઘનગરમાયાવુિ જ્ઞાનસ્થાकारवत्ता दृश्यते इति तस्यैवायमाकारो युक्तः' इति, तदपि दुराशामात्रम् , सर्वत्र ज्ञानाद्विच्छिन्नस्य ग्राह्याकारस्य प्रतिभासनात् । 175. બાહ્ય અર્થ ન હોવા છતાં સ્વપ્ન, ગંધર્વનગર, માયા વગેરેની બાબતમાં જ્ઞાનની આકારવત્તા દેખાય છે એટલે જ્ઞાનને જ આ આકાર (નીલાકાર) છે એમ માનવું .ગ્ય છે એમ તમે જે કહ્યું તે પણ દુરાશામાત્ર છે, કારણ કે, સર્વત્ર જ્ઞાનથી વિચ્છિન્ન એવા ગ્રાહ્યાકારને પ્રતિભાસ થાય છે. 176. તથા હિ–અમજ્ઞાનેષુ ચતુષ્ટથી ગતિ –શામથાતિ, અસહ્યાતિ, अख्यातिः, विपरीतख्याति: वा। तंत्र रजतमिदमिति सामानाधिकरण्येनैकार्थप्रतिभासात्, तन्मते च संवित्तेरपरोक्षत्वात् रजताधिगमाभिमानेन तदर्थिनस्तत्र प्रवृतो बाधकप्रत्ययस्य तथाविधबोधनिषेधपरत्वेन प्रादुर्भावात् न तावदख्यातिरिति प्रागेव प्रसाधितमेतत् । 176. ભ્રમજ્ઞાનોની બાબતમાં ચાર ગતિ ( = વિકલ) સંભવે છે–આત્મખ્યાતિ, અસખ્યાતિ, અખ્યાતિ અને વિપરીત ખ્યાતિ. તેમાં, “આ રજત છે એમાં સમાનવિભકિતને કારણે એક અર્થનો પ્રતિભાસ થ હેવાથી, તેમના ( = પ્રાભાકરોના) મત માં સંવિત્તિ અપરોક્ષ હોવાથી, રજતનું જ્ઞાન થયું છે એવા અભિમાનથી જતાથીંની ત્યાં પ્રવૃત્તિ થતી હેવાથી, તેવા પ્રકારના બોધને નિષેધ કરવા સૂક્તા બાધક જ્ઞાનની ઉત્પત્તિ થતી હોવાથી, આ ભ્રમણાનો અખ્યાતિ નથી એ અમે અગાઉ પુરવાર કર્યું છે જ. 177. બાહયાતિરપિ નારિત, gવત્તાસતઃ aggrટે પ્રતિમાસાयोगात् । देशकालव्यवहितानुभूतपूर्वपदार्थविषय एव भ्रान्तोऽपि प्रत्ययः प्राणभृतां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy