SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્ય, બૌદ્ધ અને જેની મોક્ષની માન્યતાઓ અને તેમનું ખંડન 888 વિષય, ઈદ્રિય, સનિક આદિ સામગ્રીને અભાવ હોવાથી કેવલ્યાવસ્થામાં આત્મામાં દ્રષ્ટ્રને અસંભવ હોય છે અને દર્શન રહિત આત્માના ચૈતન્ય અને નિરાશ કરી દીધા છે. [સાંખ્ય ગ અનુસાર ચિત્ત અને આત્મા બે જુદી વસ્તુ છે. ચિત્તને ધમ જ્ઞાન છે અને આત્માને ધર્મ દર્શન છે. યાયિકે ચિત્તને સ્વીકારતા જ નથી પરંતુ ચિત્તધર્મ જ્ઞાનને સ્વીકારી તેને આત્માને વિશેષ ગુણ માને છે. સાંખ્ય-પેગમાં ચિત્તના જ્ઞાનને વિષય ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થો છે. ચિત્ત ઘટ, પટ, વગેરેના આકારે પરિણમે છે. આ ચિત્તપરિણામને ચિત્તવૃત્તિ કહે છે. પુના દર્શનને વિષય ઘટ પટ વગેરે બાહ્ય પદાર્થો નથી પરંતુ ચિત્તવૃત્તિ છે. કેવયમાં, ચિત્તને પ્રકૃતિમાં લય થઈ ગયો હોય છે, એટલે પુરુષના દર્શનના વિષયભૂત ચિત્તવૃત્તિને પણ અભાવ હોય છે પરંતુ પુરુષ દ્રષ્ટા મટી નથી જ. તેનામાં દશનની યોગ્યતા તે છે, પણ વિષયના અભાવમાં તે તેનું દર્શન કરે ? જેમ સાંખ્ય-યોગ મતે કેવલ્યમાં આત્મામાં દર્શન નથી પણ દર્શનશ્યતા છે તેમ તૈયાયિક મતે મોક્ષમાં આત્મામાં જ્ઞાન નથી પણ જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે.] 23. નિર્વાણદ્વિષાઢ્યયમવર્ષે તુ હી તાઃ | सन्तत्युच्छेदमिच्छन्ति स्वच्छां वा ज्ञानसन्ततिम् ॥ मतद्वितयमप्येतत् प्रत्युक्तं पूर्वमेव यत् । ध्वस्तश्च ज्ञानसन्तानः नित्यश्वात्मा समर्थितः ।। सन्तत्युच्छेदपक्षस्तु नैयायिकमतादपि । शोच्यो यत्राश्मकल्पोऽपि न कश्चिदवशिष्यते ।। 23. બૌદ્ધો અપવગને નિર્વાણુ વગેરે પદોથી જણાવે છે. તેઓ જ્ઞાનસત્તતિના ઉચ્છેદને કે નિર્મળ જ્ઞાનસત્તતિને અપવર્ગ માને છે. આ બન્ને મત આ અગાઉ અમે પ્રતિષેધ કર્યો છે. અમે નેયાયિક જ્ઞાનસત્તતિનો નાશ માનીએ છીએ અને નિત્ય આત્માનું સમર્થન કરીએ છીએ. જ્ઞાનસત્તતિના ઉછેદને બૌદ્ધ પક્ષ તો યાયિક મત કરતાં પણ વધુ શોચનીય છે કે જ્યાં પથ્થર જે પણ કઈ બાકી રહેતા નથી. 24. ગqક્ષેડપિ યદ્વપમન્યતાપેક્ષમાભનાઃ | न केवलस्य तद्पमित्यस्मन्मततुल्यता ॥ विकारित्वं तु जीवानामत्यन्तमसमञ्जसम् । शब्दपुद्गलवच्चैतत् प्रत्याख्येयमसम्भवात् ।। | 24. જૈનમતમાં પણ આત્માનું જે રૂપ અન્ય સાપેક્ષ છે તે રૂપ કેવલ આત્માનું નથી. આ મત અમારા નનયયિકના મત સાથે તુલ્ય છે. જીવોનું વિકારીપણું અત્યન્ત અસમંજસ છે, કારણ કે જેમ શબ્દનું પૌદૂગલિકત્વ અસંભવ હોઈ પ્રતિષેધ છે તેમ છનું વિકારીપણું અસંભવ હેઈ પ્રતિષેધ્ય છે. [જેના મતે આત્મા શરીર પરિમાણ છે, સંકેચ-વિકાસશીલ છે, પરિણમી છે, કર્મના સંબંધને લીધે મિથ્યાદર્શન આદિ વિકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy