SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વનિઓ (વાયુ) સ્ફોટાભિવ્યંજક છે उपाधिभेदेन प्रतिभासमाना असत्याकाराश्च तेऽर्थप्रत्ययान्वयव्यतिरेकानुविधायिनो दृश्यन्ते । तेन यदुच्यते शब्दकल्पनायां कल्पनाद्वैगुण्यमिति तोकगुणाऽपि कल्पना नास्ति, का कथा द्वैगुण्यस्येति । तस्मात् स्फोटात्मकादेव शब्दादर्थप्रत्ययः । वर्णानुविधायित्वं तु तस्यान्यथासिद्धमिति सिद्धम् ।। __ अपि च तार्किकाणामनुमानप्रियत्वात् तत्परितोषायेदमनुमानमभ्यधायि, न परमार्थतः । परमार्थतस्तु श्रौत्रे प्रत्यये प्रतिभासमानः प्रत्यक्ष एव स्फोट : । 20. પરંતુ બીજાઓ કહે છે કે ધ્વનિએ (વાયુ) સ્ફોટના અભિવ્યંજક છે. તે વાયુઓ વડે નિરવયવ એવો સ્ફોટ અભિવ્યકત થત, તાલુ વગેરે સ્થાને અને જિહુવામૂલઆદિ) કરશે સાથે વાયુઓ સંગરૂપ ઉપાધિઓને લીધે મિથ્યા ઉભા થતા વિવિધ આકારના ગકાર વગેરે ભાગોવાળે (=અવયવોવાળે ) જાણે કે હોય એવો જણ્ય છે. વાયુઓ ચંચળ હોવાથી ઉચ્ચારવામાં આવ્યા પછી તરત નાશ પામે છે, આવા વાયુઓ, ફેટને કાલ્પનિક ગકાર આદિ આકારોને પ્રગટ કરે છે. ઉપાધિને કારણે અસત્ય રૂપને પણ પ્રગટ થતું આપણે જોયું છે, જેમકે તલવાર, મણિ, દર્પણ વગેરે અભિવ્યંજના ભેદે ઊભા થતાં શ્યામ, દીધ, વગેરે મુખનાં [અસત્ય] રૂપ નાદાત્મક શબ્દ વીણા, વિષ્ણુ, મૃદંગ, પટ વગેરે અભિવ્યંજકના ભેદે વિવિધતા પામતા દેખાય છે. તેથી તે વણે પારમાર્થિક (=વાસ્તવિક) નથી જ અને ફેટના અભિવ્યંજક પણ નથી એટલે વર્ગો એકે એકે સ્ફોટને અભિવ્યકત કરે છે કે સાથે મળીને અભિવ્યકત કરે છે એ વિકલ્પો ક્યાંથી ઊઠે ? ઉપાધિભેદને લીધે જણાતા તે ગકાર આદિ અસત્ય આકારો અથજ્ઞાન સાથે અન્ય વ્યતિરેક ધરાવતા દેખાય છે. તેથી, શબ્દસ્ફોટની કલ્પનામાં બે કપનાઓ કરવી પડે છે એમ તમે જે કહ્યું એ વિશે અમે કહીએ છીએ ત્યાં એક પણ કલ્પના નથી, તે પછી એ કલ્પનાની તો વાત જ કયાં રહી ? તેથી સ્ફોટાત્મક શબ્દમાંથી અર્થજ્ઞાન થાય છે. અર્થજ્ઞાન સાથે વર્ણોને અવય-વ્યતિરેક તો અન્યથાસિદ્ધ છે એ પુરવાર થયું. વળી, નૈયાયિકે અનુમાનપ્રિય હોઈ તેમના પરિતોષ માટે આ અનુમાન અમે કહ્યું, પરમાર્થાત ફોટ અનુમેય નથી, પરંતુ પરમાર્થતઃ તો શ્રૌત્ર જ્ઞાનમાં દેખાતો ફેટ પ્રત્યક્ષ જ છે. 21. आह किमिदमपूर्व तस्काराचरितं वर्तते ? वर्णाः प्रत्यक्षमुपलभ्यमाना अपि दुर्भगा न प्रत्यक्षाः, स्फोटः पुनरनवभासमानोऽपि सुभगः प्रत्यक्ष इति । उच्यते । न ब्रूमः वर्णा न प्रत्यक्षा इति । ते पुनरसन्तोऽपि उपाधिवशाद् वदनदैर्ध्यादिवदवभासन्ते । शब्दस्त्वेको निरवयवः प्रतीयते । तथा च पदमिति वाक्यमित्येकाकारा प्रतीतिरस्ति । न च भिन्ना वर्णास्तस्यामालम्बनीभवन्ति । न हि सामान्यप्रत्ययो व्यक्त्यालम्बनः, अवयविप्रत्ययो वाऽवयवालम्बनः । न च सेनावनादिबुद्धिवदयथार्था पदवाक्यबुद्धिः, वाधकाभावात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy