SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આપણાં શરીરે પૃથવીભૂતનાં બનેલાં છે કે અનેક ભૂતનાં ૧ ૨૪૯ શંકાકાર– આ પરીક્ષાનું પ્રયોજન શું છે? શરીરને નિઃશ્રેયસની પ્રાપ્તિમાં જે ઉપયોગ દર્શાવ્યો છે તેમાં શરીર અનેક ભૂતસ્વભાવ હોય ( અર્થાત્ શરીરનું ઉપાદાનારણસમવાયીકારણે અનેક ભૂત હેય) તે પણ કઈ ફેર પડતો નથી નૈયા વિક– આવું ન કહે [ શરીર વગેરેના ] સ્વરૂપનો નિર્ણય કર્યા પછી જ તેમની કાર્યમાં મેિ ક્ષ પ્રાપ્તિ વગેરેમાં ] ૯૫ગિતા વિચારવી જોઈએ. તેથી કાર્યાથી પુરુષોએ પણ સો પ્રથમ તેમના સ્વરૂપને નિર્ણય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. [ શરીરના રૂપની પરીક્ષાની જેમ ] ઈનિદ્ર ભોતિક છે કે આહકારિક, વગેરે વિવેચના દ્વારા અમે ઈન્દ્રિયસ્વરૂપની પરીક્ષા કરીશું. અર્થો પણ કેટલા છે અને શા ગુણે ધરાવે છે એની પરીક્ષા પણ અમે કરીશુ. વળી, બુદ્ધિ પણ શુ પ્રધાનને “મહત' શબ્દ વા પ્રથમ વિકાર છે કે આત્માને જ્ઞાન નામને ક્ષણિક ધમ છે એની પરીક્ષા અમે કરીશુ. આમ સર્વત્ર સમજવું જોઈએ. 10. तत्र पार्थिवमेवास्मदादिशरीरमिति केचित् , असाधारणो हि धरणिधर्मो गन्धस्तस्मिन्नुपलभ्यते इति । पृथिव्युदककारणमित्यन्ये, क्लेदस्यापि तस्मिन् दर्शनात् , असति हि सलिलसंसर्गे न पार्थिवावयवाः क्लेदमनुभवन्तीति । क्षितिजलज्वलनजनितमित्यपरे, गन्धक्लेदवदूष्म गोऽपि तत्रोपलम्भादिति । वसुमतीसलिलसितेतरसरणिसमीरणरचितमिति चान्ये, रचनाविशेषस्य पवनकार्यस्य तत्रावधारणादिति । अवनिवनदहनपवनगगनविनिर्मितमिति चापरे, गन्धादिवदवकाशस्याप्याकाशकार्यस्य तत्र दर्शनात् । सुषिर हि शरीरमुपलभ्यते । अवकाशे चाकाशैकदेशेऽप्यवच्छेदाभिप्रायेण श्रोत्रवद् भक्तया तत्कार्यत्वव्यपदेश इति । 10શરીરસ્વરૂપની બાબતમાં. આપણાં માનવ શરીરે પાર્થિવ જ છે એમ કેટલાક માને છે કારણ કે પૃથ્વીને અસાધારણ ધર્મ ગંધ તેમાં ઉપલબ્ધ થાય છે, પૃથ્વી અને ઉદક બે સમવાયીકારણથી ઉત્પન્ન થયેલું તે છે એમ કેટલાક માને છે, કારણ કે તેમાં ભીનાશ પણ દેખાય છે. પાણી સાથે સંબંધમાં આવ્યા વિના પાર્થિવ અવયવ ભીનાશ પામતા નથી. શરીર પૃથ્વી, પાણી અને અગ્નિ એ ત્રણ સમવાયીકારણથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં ગધ અને ભીનાશની જેમ ઉષ્ણુતાની પણ ઉપલબ્ધિ છે. શરીર પથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર સમવાયીકરણોથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં પવનના કાયરૂપ રચનાવિશેષનું નિશ્ચયાત્મક જ્ઞાન આપણને થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy