SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ તૈયાયિક – તેનું કારણ એ છે કે કમથી પ્રાપ્ત શરીર, ઇન્દ્રિય, આદિ સહકારીઓના સન્નિધાનને લીધે તેના કાર્યને ઉત્પાદ થાય છે. એટલે આત્માનું કાર્ય કેવી રીતે શરીર બહાર હેય ? નિષ્કર્ષ એ કે અનાર કહેલી રીતે નિત્યત્વ અને વ્યાપકત્વના કારણે આત્માનું પરલેકીપણું અમે ઘટાડ્યું. 156. सूत्रकारस्तु पारलौकिकत्वसिद्धये हेत्वन्तराणि प्रत्यपादयत् । सद्यो जातस्य बालस्य वदनविकासरोदनाद्यनुमितो हर्षशोकादियोगस्तावदस्ति । युवशरीरादौ रोदनादि शाकादिकारणकमवगतम् , आननविकासादि च हर्षहेतुकम् । एवं शिशोरपि तन्निबन्धनस्तदुत्पादः । तौ च हर्षशोको सुखदुःखसाधनाधिगमतदनुस्मरणान्यतरकारणकौं भवितुमर्हतः, तथा दृष्टत्वात् । इह चास्य न सखदुःखसाधनपदार्थानुभवः तदानीमस्तीति तदनुस्मरणेमेव हर्षशोकहेतुर्भवेत् । तदनुस्मरणमपि तदनुभवप्रभवम् , अनुभवश्चेह जन्मनि सद्यो जातस्य न समस्तीति जन्मान्तरानुभूतसखदु:खसाधनानुस्मरणनिमित्तक एवास्य हर्षशोकसमुत्पाद इति जन्मान्तरानुगमान्नित्य आत्मा । - 156. આત્માના પરફેકીપણાની સિદ્ધિ માટે સૂત્રકાર ગૌતમે બીજા હેતુઓ જણાવ્યા છે. તાજા જન્મેલા બાળકના વદનવિકાસ, રોદન આદિ ઉપરથી બાળકને હર્ષ, શોક આદિને યોગ અનુમિત થાય છે. યુવાન શરીર આદિમાં રોદન વગેરેનું કારણ શેક આદિ છે અને વનવિકાસ આદિનું કારણ હષ આદિ છે એમ આપણે જાણ્યું છે. એ જ રીતે નવજાત શિશુમાં પણ વદનવિકાસ, દિનની ઉત્પત્તિનું કારણ કમથી હર્ષ અને શક છે. અને તે હર્ષ–શક સુખ-દુઃખનાં સાધનોના દર્શનથી કે તે સાધના અનુસ્મરણથી ઉત્પન્ન થવા ઘટે છે, કારણ કે તેવું આપણે દેખ્યું છે. અહીં તાજા જન્મેલા શિશુને સુખ- દુઃખના સાધનરૂપ પદાર્થને અનુભવ તે વખતે નથી એટલે તે પદાર્થોનું અનુસ્મરણ જ તેના હર્ષશોકનું કારણ છે. તે અનુસ્મરણ પણ અનુભવજન્ય છે. અને અનુભવ તે તાજા જન્મેલ શિશુને અહીં આ જન્મમાં ઘટતું નથી એટલે પૂર્વજન્મમાં અનુભવેલા, સુખદુઃખનાં સાધનરૂપ પદાર્થોનું અનુસરણ થતાં તે અનુસ્મરણને કારણે જ તે શિશુને હર્ષ-શોકની | છે. આમ પૂર્વજન્મના અનુમાનજ્ઞાન ઉપરથી આત્મા નિત્ય પુરવાર થાય છે. 157. नन्वभिनवजीवलोकावलोकनालादनिबन्धन एवास्य मुखविकासः, तथा योनिद्वारनिर्गमनोद्गतनिरर्गलक्लेशपीडितस्य तस्य रोदनमिति न जन्मान्तरानुभूतस्मरणं कल्पयितुं युक्तम् , अतिप्रसङ्गात् । मैवं, सुखदुःखहेतुमीदृशमननुभवतोऽप्यकस्मादेव हर्षशोकदर्शनात् । 17. ચાર્વાક– અભિનવ જીવલેનું અવલોકન કરવાથી થયેલ આહલાદને લીધે તાજા જન્મેલા શિશુને મુખવિકાસ થાય છે, તથા યોનિદ્વારમાંથી બહાર નીકળવાથી ઊભા થયેલા નિરગળ કલેશની પીડા થવાથી તેને રૂદન થાય છે, એટલે પૂર્વજન્મમાં અનુભવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy