SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ક્ષણભંગવાદમાં પરલે ક આદિ ઘટતાં નથી જયારે સતાનાન્તરની અદ્ધિઓમાં ઉપાદાનપાદેયભાવ નથી એમ તમે જે વિશેષ દર્શાવ્યો તેને પણ અમે પહેલાં નિરાસ કર્યો છે. કપાસની રતતાની સંક્રાન્તિનું દૃષ્ટાન્ત તમે જે વર્ણવ્યું તે પણ સ્વરૂપથી અયુક્ત છે કારણકે તે રક્તતાનું જ દર્શન થાય છે જે રક્તતા કપાસબીજમાં બરાબર કરવામાં આવી છે તે જ પુપમાં દેખાય છે, તેનાથી અન્ય ફળ થતું નથી. એ રીતે કમની અનુવૃત્તિ થાય પણ ફળમે:ગ તે દુર્ઘટ છે. કમની આ અનુવૃત્તિ પણ કે ઈ એમની બાબતમાં થતી નથી કારણ કે કપાસબીજ-કુસુમની જેમ કાર્યકારણને ભેદ છે. કર્મ અન્યત્ર થાય છે અને ફળ અન્યત્ર થાય છે અને સંતાનને ભોગ માટે કમનું અનુષ્ઠાન કઈ કરતુ નથી. આ કમમાંથી થતુ કળ મને જ થાય એમ સમજીને જ બધાં કર્મમાં પ્રવૃત્તિ કરે છે. બૌદ્ધ ભિક્ષુઓના મતમાં પરલેક સર્વથા અસિદ્ધ છે. પરલોકને સિદ્ધ કરવામાં તેમને કોઇ તક નથી. ગભ વગેરેમાં જે પ્રથમ જ્ઞાન થાય છે તે વિજ્ઞાનાન્તરપૂર્વક છે, કારણ કે તે જ્ઞાન છે' આ હેતુને અમે અપ્રોજક ગણુ છે. વળી, આ હેતુ મૂછ આદિ પછી ઉદ્ભવતા જ્ઞાને વડે વ્યભિચાર પામે છે, [ અર્થાત મૂર્છા આદિ પછી થતાં જ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વક નથી, કારણ કે મૂછમાં વિજ્ઞાન હેતું નથી. ] મૂર્શિતને પણું જ્ઞાન હોય છે. એમ કોઈ કહે છે. પણ તે તો જાણે છે, કારણ કે અથવગતિથી અન્ય એવું કોઈ સ્વરૂપ જ્ઞાનનું નથી. મૂર્ણા વગેરેમાં કે કલલ વગેરેમાં જ્ઞાનનું સ્વરૂપ અર્થાવગતિ કયાંથી હોય ? ન જ હોય. જે કાલ આદિ અવસ્થામાં જ્ઞાન ઇચ્છવામાં આવે તે માતામાં રહેલ શેણિત અને પિતામાં રહેલ શુકમાં પણ જ્ઞાન ઇરછવું પડે, તેથી એકત્ર (=બાળકમાં) બે ચેતન માનવાની આપત્તિ આવે અથવા તો અનેક પુત્રો ધરાવતા દંપતીમાં ચેતનાનું બહુત્વ માનવાની આપત્તિ આવે. ઉપરાંત, લેકમાં એવો નિયમ નથી કે સદશમાંથી જ સદશની ઉત્પત્તિ થાય. કારણ કે છાણમાંથી પણ વીછી આદિની ઉત્પત્તિ થતી દેખાય છે. વળી, મુમૂષશરીરમાંથી ગર્ભશરીરમાં જવાની શક્તિ જ્ઞાનમાં કેવી રીતે હોય ? કારણ કે જ્ઞાન જવાલાની જેમ ન તો મૂર્તા છે કે આમાની જેમ ન તે વ્યાપક છે. આતિવાહિકદેહ (= અન્તરાભવશરીર) જ્ઞાનને ભવાન્તરમાં (=મૂવું શરીરમાંથી ગર્ભશરીરમાં) લઈ જાય છે એમ જે તમે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે મુમ્ શરીરમાંથી આતિવાહિક દેહમાં જ્ઞાનનું જવું કેવી રીતે સંભવે ? અથવા આ પ્રશ્નને રહેવા દો. તમારા મતમાં, તે જનારાઓના જીવતા દેહમાં જ્ઞાન ને પ્રદેશાન્તરસંચાર કેવી રીતે થાય ! કારણ કે તેમનામાં ( જ્ઞાનમાં) ભૂતધર્મો તો છે નહિ, વળી તેમનામાં રવતઃ ગતિ કરવાની શક્તિ પણ નથી, ઉપરાંત જાતિ વગેરેની જેમ તેઓ આશ્રયમાં રહેતાં નથી, તેમ જ ન તો તેઓ આત્માની જેમ વ્યાપક છે. આમ જેવા તમે વિહારમાંથી કે ગુફામાંથી બહાર નીકળે તે જ તમારે દેહ લાકડા જે જડ બની જાય, કારણ કે જ્ઞાનસંક્રાતિને સંભવ નથી. ટૂંકમાં વાત આટલી જ છે – કાં તે દંભ દૂર કરી ચોંકની જેમ તમારે પરલેક ન સ્વીકાર જોઇએ કાં તે નિત્ય આત્મ સ્વીકારવું જોઇએ. આત્મા અમે જે છે કે આકાશ જેવો ? એવા વિક૬૫ કરીને આત્માનું વિનાશીપણું અથવા કર્મોનું વૈફલ્ય તમે કહ્યું છે, તે બરાબર નથી જ, કારણ કે સુખ-દુઃખરૂપ અવસ્થાના ઉપભોગના આત્માને સંબંધ હોવા છતાં આ આમાં નાશ પામતે નથી. સુખદુઃખના જન્મથી આત્માની થતી વિકતિ એવી નથી હતી કે જેનાથી આત્માનો નાશ થાય, સહકારિકા રણવશાત તે વિકૃતિ જન્મે છે. તેથી આત્મા અવશ્ય તે વિકૃતિનું ભકતૃત્વ પામે છે. અથવા, ઉત્પાદ–વ રવભાવવાળી પિતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy