SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ધારાવાહી પ્રત્યક્ષને વિષય સ્થાયી છે. कियान् काल इति चिन्त्यताम् , निमेषकृतस्यापि दर्शनविच्छेदस्यानवकाशात् । यावद्धि दर्शनं न विच्छिन्नं तावान् वर्तमानः काल इति तद्ग्रहणेन स्थैर्य गृहीत भवति, न क्षणिकत्वम् । 136 વળી, અનિમેષ દૃષ્ટિથી જોનારને અત્રુટિત સત્તાવાળા સ્તંભ આદિ પદાર્થોને ગ્રહણ કરનારું [ધારાવાહી] પ્રત્યક્ષ ઘટે છે. તેને કેવી રીતે ક્ષણિકગ્રાહી કહેવાય ? અતીત અને અનાગત બે ક્ષણ અસનિધિત હોવાથી તેની પ્રત્યક્ષમાધતા ધટતી ન હોવાને કારણે અને વર્તમાન ક્ષણ અતિ સૂમ હોવાને કારણે તત્કાલગ્રાહી પ્રત્યક્ષ વડે ક્ષણિકત્વ જ ગૃહીત થાય છે એમ તમે જે વિકલપ કર્યો છે તે ઘટતો નથી. ભલે અતીત અને અનાગત કાળન ગ્રહણ ન થાઓ, પરંતુ ત્યાં અનિમેષદર્શનમાં વર્તમાન જ કેટલે [લાંબો] કાળ છે એ વિચારવું જોઈએ, કારણ કે નિમેષકૃત દર્શનવિચછેદને અહીં અવકાશ નથી જ્યાં સુધી દશ. નને વિચ્છેદ ન થાય ત્યાં સુધી વર્તમાનકાળ જ છે, એટલે તેના ગ્રહણથી સ્થિરતા ગ્રહીત થાય છે, ક્ષણિકતા નહિ. 137. ननु तावानसौ कालः क्षणसमुदायो भवति, न क्षणः । क्षणश्चैक एव वर्तमानो भवति । ततः पूर्वापरौ क्षणावतीतानागतौ भवतः, तयोश्च न ग्रहणमित्युक्तम् । भी महात्मन् ! सिद्धे क्षणिकत्व एव एवं शक्यते वक्तु, न तु तत्साधनावसरे । कालो ह्येको नित्यो विभुरिति साधितोऽनुमानपरीक्षायाम् । न तु क्षणसमुदायात्मा कालः । कालस्य तु भेदाः क्रियोपजननविनाशाद्यपाधिनिबन्धनाः कल्प्यन्त इत्यपि तत्रौव परीक्षितम् । तदयमनिमेषदृष्टेः दर्शनविच्छेदानुपग्रहात् तावान् एकः कालः स इति वर्तमान एव भवति, न नानाक्षणसमुदायः । क्षणसमुदायात्मकेऽपि वा काले दर्शनविच्छेदानवधारणात् क्षणसमुदाय एव वर्तमानीभवतु । 0 137. બૌદ્ધ – તેટલો લાંબો એ કાળ ક્ષણસમુદાય હોય છે, ક્ષણ નથી હોત, અને એક જ ક્ષણ વર્તમાન હોય છે. તેથી પૂર્વ અને અપર એ બે ક્ષણે અતીત અને અનાગત હોય છે અને તેમનું ગ્રહણ થતું નથી એમ અમે કહ્યું છે. તૈયાયિક- મહાત્મા ! ક્ષણિકત્વ સિદ્ધ થયે જ આમ કહેવું શક્ય છે; તેને સિદ્ધ કરતા હોઈએ ત્યારે નહિ. અનુમાનપરીક્ષામાં અમે પુરવાર કર્યું છે કે કાળ એક, નિત્ય અને વિભુ છે, કાળ ક્ષણસમુદાયરૂપ નથી. કાળના ભેદ તો ક્રિસ્પત્તિ ક્રિયે પરમ આદિ ઉપાધિએને આધારે કલ્પવામાં આવ્યા છે, એની પરીક્ષા પણ ત્યાં જ કરવામાં આવી છે. તેથી અનિમેષદષ્ટિવાળાને દર્શનવિચ્છેદની સહાય ન હોવાથી એિટલે વખત દષ્ટિ અનિમેષ રહે] તેટલે વખત તે એક જ કાળ છે, એટલે તે વર્તમાન જ હોય છે, અનેક ક્ષણનો સમુદાય હેતું નથી. કાળ ક્ષણસમુદાયરૂપ હોય તો પણ દર્શનવિચ્છેદનું અનવધારણ હોવાથી ક્ષણસમુદાય જ વતમાન બને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy