SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ ક્ષણભંગવાદમાં કાર્યકારણભાવ જ દુધટ व्यापारस्तु परोत्पत्तौ नास्त्येव क्षणभङ्गिनः । न वर्तमानकालस्य न भूतस्य न भाविनः ॥ 100, અથવા ઉપ દાન કારણ અને સહકારી કારણ વચ્ચેને વિવેક બાજુએ રહો, આ કાર્યકારણભાવ જ બૌદ્ધ સિદ્ધાંતમાં દુર્ઘટ છે. પરની (અર્થાત ઉત્તરકાલીન કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર ન કરતું હોય તેને જે તમે કારણ કહેતા હે તો સર્વ સર્વનું કારણ બની જાય છે પોતે જ અસ્તિત્વ ન ધરાવતું હોય તેને વ્યાપાર પરની (= ઉત્તરકાલીન કાર્યની ઉત્પત્તિમાં હોય નહિ. અને જે અસ્તિત્વ ધરાવતું હોય તેને જ કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર છે એમ જે તમે સ્વીકારે છે કારણની સ્થિતિ બીજી ક્ષણે પણ છે એ પુરવાર થાય. “આને આધાર લઈને પછી આ અસ્તિત્વમાં આવે છે' એવી એની ( = કાર્યની) એના (કારણના) ઉપરની પતન્નતા માત્ર જ કાર્ય કારણભાવ છે એમ જે તમે કહે તે પણ અસ્તિત્વ ધરાવતી ક્ષણને જ આધાર લેવાય એટલે દિતીય ક્ષણે કારણનું અવસ્થાન અપરિહાર્યો છે. કેવળ આનન્તર્ય. માત્રથી કાર્યકારણુમાવનું જ્ઞાન થતું નથી, કારણકે કાર્ય કારણુભાવના અભાવમાં પણ આનન્તર્યાનું જ્ઞાન થાય છે. ક્ષણિક વસ્તુને (=કારણને) - પછી તે વર્તમાન હય, ભૂત હોય કે ભાવિ હેય – વ્યાપાર પરની (=ઉત્તરકાલીન કાર્યની) ઉત્પત્તિમાં હેત નથી. 101. अथ मन्येथा यथा तुलान्तयो मोन्नामौ भवत एवं पूर्वोत्तरयोः क्षणयो शोत्पादावित्येवं पूर्वक्षणविनाशेनोत्तरक्षणनिर्वत्तेरियतैव तौ कार्यकारणभावमश्नुवीयाताम् इति । तदप्यमनोरमम् , न ह्ययमायुष्मता सम्यगवधृतस्तुलादृष्टान्तः । तत्रान्यदेव हेमादि नामोन्नामनिबन्धनम् । उन्नामो न तु नामेन तेन वा स विधीयते ॥ इहापि न पूर्वण क्षणेन नापि तद्विनाशेनोत्तरः क्षण उत्पद्यते, न च हेमस्थानीयमिहान्यदस्तीत्यनुत्पत्तिरेवावशिष्यते । 101. જો તમે બૌદ્ધો એમ માને કે જેમ ત્રાજવાના બે છેડામાં એક નમતાં બીજે ઉપર જાય છે તેમ પૂર્વ-- ઉત્તર બે ક્ષણોમાંથી પૂર્વ ક્ષણને નાશ થતાં ઉત્તર ક્ષણને ઉત્પાદ થાય છે, એટલે આમ પૂર્વ ક્ષણુના નાશથી ઉત્તર ક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી આટલે જ કાર્ય. કારણભાવ તેઓ પામે છે – તો તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે તમે ત્રાજવાના દૃષ્ટાંતને બરાબર સમજ્યા નથી, ત્રાજવાની બાબતમાં એક છેડાના નવા અને બીજા છેડાના ઉપર જવાનું કારણું સુવર્ણ વગેરે છે. ઉપર જવું એ નીચે જવાનું કારણ નથી કે નીચે નમવું એ ઉપર જવાનું કારણ નથી. અહીં પણ પૂર્વ ક્ષણ કે પૂર્વ ક્ષણના વિનાશથી ઉત્તર ક્ષણ ઉત્પન્ન થતો નથી, અને સુવર્ણ સ્થાનીય બીજુ કંઈ અહીં તો છે નહિ, એટલે ઉત્તર ક્ષણની અનુપત્તિ જ બાકી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy