SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ ઉપાદાનકારણ-સહકારીકારણ જાણભંગવાદમાં ઘટતાં નથી સ્વરૂપે રૂપની રસ પ્રતિ સહકારી કરતા હોય તો જુદા જુદા સ્વભાવ ધરાવવાને કારણે રૂપમાં અનેતા આવે, અને અનેક્તાને પરિણામે આૌયની અથવા અસત્ત્વની આપત્તિ આવે એમ અમે અગાઉ કહ્યું જ છે. [રૂપમાં અહીં અનેક સ્વભાવ હેવા છતાં દર્શનથી તેની એકતનું ગ્રહણ વિરોધ પામતું નથી, તેવી રીતે સમર્થ—અસમર્થ અનેક સ્વભાવ હોવા છતાં અક્ષણિક વસ્તુની એક્તાનું પ્રહણ વિરોધ પામશે નહિ– ] આ રીતે વસ્તુના યની આપત્તિ આવશે અથવા તો વિરૂદ્ધ સભાવ ધરાવવાના કારણે 1 વસ્તુની કાપનિકતાની (=અસત્ત્વની) આપત્તિ આવશે. જો તમે બૌદ્ધો કહે કે એ બે સ્વભાવમાં કંઈ વિરોધ નથી તે અમે કહીએ છીએ કે બૌદ્ધગૃહમાં જન્મેલ તું આવું કેમ બોલે છે ? [ કારણ કે એ તે બૌદ્ધ સિદ્ધાન્ત છે કે ] વસ્તુઓના પોતપોતાના સ્વભાવ પરસ્પર પરિહારથી સ્થિર થયેલા હોઈ વસ્તુઓ વચ્ચે વસ્તુસ્વભાવવ્યવસ્થાપક ( = લાક્ષણિક ) વિરોધ છે જ. વળી બૌદ્ધમતે પદાર્થો ક્ષણિક હોઈ આ અહી ઉપાદાનકારણ છે અને અહીં સહકારી કારણ છે એ વિશેષ સમજવો કઠિન છે. આ ઉપાદાન એ શું છે ? શું બીજ આદિની જેમ જે પિતાના સંતા નના નાશ દ્વારા પોતાના કાર્યને ( = અંકરસંતાન આદિને ) ઉત્પન્ન કરે તે ઉપાદાન કે જે પિતાના વિશેષને સમર્પણ દ્વારા પોતાના કાર્યને ઉત્પન્ન કરે તે ઉપાદાન ? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે છે, જેમ ચાર્વાક પરલેકની ચર્ચાની ઉપેક્ષા કરે છે તેમ તમારે બોદ્ધોએ ૫ણ ૫કની ચર્ચાની ઉપેક્ષા કરવી પડશે (કારણ કે હવે સંતાનની એક્તા તૂટવાથી પરસેક ઘટશે નહિ, ] વળી એક જ્ઞાનસંતાન( = ચિત્તસંતાન)ના નાશથી બીજા તદ્દન નવા જ જ્ઞાનસંતાન( = ચિત્તસંતાન )ની ઉપતિ માવાની આપત્તિ આવશે. જે પિતાના વિશેષના સમર્પણ દ્વારા પિતાના કાર્યને ઉત્પન્ન કરે છે તે ઉપાદાન એવા બીજા પક્ષમાં બે વિકલ્પ ઊઠે છે–શું પોતાના બધા વિશેષોના સમર્પણુ દ્વારા તે કાર્યને ઉત્પન્ન કરે છે કે કેટલાક વિશેષોના સમર્પણ દ્વારા શું જે કહે કે તે પોતાના બધા વિશેષના સમર્પણ દ્વારા કાર્યને ઉપન્ન કરે છે તે નિર્વિકલ્પક જ્ઞાન સવિક પક જ્ઞાનનું ઉપાદાનાકારણ નહિ બની શકે; લિંગદર્શન વ્યાતિસ્મરણનું ઉપાદાનકારણ કેવી રીતે બનશે રે; અથવા રૂપવિજ્ઞાન રસવિજ્ઞાનનું ઉપાદાનકારણ કેવી રીતે બનશે ? 98. सन्तानभूयस्त्वाद्भविष्यतीति चेत् , न, एकप्रमात्रधीनप्रतिसन्धानोपनिबन्धनव्यवहारप्रतिबन्धविप्लवप्रसङ्गात् । नित्यमेकमात्मानमन्तरेण सन्तानकतायामपि तावदसौ व्यवहारो नावकल्पते, किमुतैकौव देवदत्ते सन्तान भूयस्वे सतीति ? 93. બૌદ્ધ -- [ દશનજ્ઞાન, સ્મરણુજ્ઞાન, રૂપજ્ઞાન, રસજ્ઞાન આદિ જ્ઞાનેના ] ઘણું સન્તાને હેઈઆ ઘટશે. નયાયિક – ના, એ બરાબર નથી, [ જે જુદા જુદા જ્ઞાનસંતાનો માનશે તે એક પ્રમાતા નહિ પણ અનેક પ્રમાતા એક શરીરમાં માનવા પડશે. ] પરિણામે એક પ્રમાતાને અધીન પ્રતિ-સંધાનજ્ઞાનને આધારે થતો વ્યવહાર અને વ્યાતિસંબંધ તૂટી જવાની આપત્તિ આવશે. નિત્ય એક આત્મા સિવાય સંતાનની એકતામાં પણ આ વ્યવહાર ઘટતું નથી તે પછી એક સ્થાને દેવદત્તમાં સંતાનોની અનેકતામાં તે વ્યવહાર કયાંથી ધટે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy