SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુત્વ એટલે શું ? એટલે પ્રત્યક્ષ અનુમાનને સાધુત્વ.અસાધુત્વને ગ્રહણ કરનાર પ્રમાણ તરીકે પ્રતિબધ થતાં તેને પણ પ્રતિબંધ થઈ જાય જ છે. વૈદિક શબ્દ તે અત્યારે ચર્ચાને વિષય છે. સાધુત્વઅસાધત્વ સિદ્ધ થતાં સાધુશખવિષયક વિધિ અને અસાધુશખવિષયક નિબંધમાં હિ શબ્દ વ્યાપાર કરે છે. પણ વિધિનિષધથી જ સાધુ-અસાધુ વાદની સિદ્ધિ ધટતી નથી. જે વિધિ-નિષધથી જ સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ માનીને તે દત્તર ઇતરેતરાશ્રય દેષ આવી પડે – વિધિ-નિષેધ સિદ્ધ થતાં સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ અને સાધુ-અસાધુ શબ્દની સિદ્ધિ થતાં વિધિનિષધની સિદ્ધિ 189. किञ्चेदं साधत्वं नाम ? यदि बाचकत्वं, गाव्यादयोऽपि सुतरां वाचका इति तेऽपि कथं न साधवः ? अर्थावगतिसाधनाद्धि साधुत्वं, तच्च यथा गाव्यादिषु झटित्येव भवति न तथा गवादिष्विति प्रथमं ते एव साघवः । एवं च યાદુ: “ગાપુરનુમાન વાવ: સૈશિ’િ રૂતિ [વાવ૫૦ રૂ.રૂ.૨૦] सदत्यन्तमसांप्रतम् , सोपानान्तरप्रतीतिप्रसक्तेर्विपर्ययस्य च लोके प्रसिद्धत्वात् । यस्तावदनधिगतव्याकरणसरणिः पामरादिः स गाव्यादिशब्दश्रवणे सति तावत्येव जातसन्तोषः तत एवार्थमवगच्छन् गवादिशब्दानुमानव्यवधानमनाउदैव व्यवहरति । हेमगिरिमुत्तरेण यादशि मादृशैरनुभूतानि तरुकुसुमफलानि तथाविधास्तस्य साधशन्दा इति सर्वात्मनाऽनवधारितसम्बन्धः स कथं तावदनुमातुं प्रभवेत् ? 169. વળી, આ સાધુત્વ શું છે જે તે વાચક હોય તે ગાવિ વગેરે શબ્દો પણ સુતરાં વાચક હોઈ તે પણ કેમ સાધુ નહિ ? અર્થનું જ્ઞાન કરાવવામાં સાધનપણું તે સાધુત્વ એમ જ કહે તો “ગાવિ આદિ શાબ્દો જેટલી ઝડપથી અર્થનું જ્ઞાન કરાવે છે તેટલી ઝડપથી તે “ગૌ” આદિ શબ્દ પણ અથનું જ્ઞાન કરાવતા નથી, તેથી પ્રથમ તે “ગાવ' આદિ શબ્દ જ સાધુ છે. “અસાધુ શબ સાધુ શબ્દના અનુમાન દ્વારા વાચક બને છે એમ કેટલાક માને છે' એમ જે કહેવામાં આવ્યું છે તે અત્યત અયોગ્ય છે, કારણ કે એમ માનતાં સાધુ શબ્દના અનુમાનરૂપ પગથિયા પછી અની પ્રતીતિ થવાની આપત્તિ આવે, પરંતુ લેકમાં તો એનાથી ઊલટું પ્રસિદ્ધ છે. જે પામર આદિ અને વ્યાકરણ શીખ્યા નથી તે 'ગાવિ' આદિ શબ્દ સાંભળતાં તેટલામાં જ સંતોષ પામી તેનાથી જ અર્થ જાણી “ગૌ' આદિ શબ્દોના અનુમાનનું વ્યવધાન કર્યા વિના જ વ્યવહાર કરે છે. હિમાલયની ઉત્તરે આવેલાં વૃક્ષોનાં કુસુમો અને ફળે. મારા જેવાએ જેવાં અનુભવ્યાં છે તેવા તેમણે સાધુ શબ્દ અનુભવ્યા છે ( અર્થાત અનુભવ્યાં જ નથી), એટલે અસાધુ શબ્દને સાધુ શબ્દ સાથે સંબંધ તેમણે સવધા ગ્રહણ કર્યો જ નથી. તે પછી સાધુ શબ્દનું અનુમાન કરવા તેઓ કેવી રીતે શક્ત બને? 190. येऽपि व्याकरणार्णवकर्णधाराः चिराभ्यस्तसूक्तयः सूरयः, तेऽपि गाव्यादिभिर्व्यवहरन्तोऽनुमानक्रममननुसरन्त एव तेभ्योऽर्थ प्रतिपद्यन्ते इति प्रत्यात्मवेदनीयमेतत् । तस्माद्वाचकत्वमेव साधत्वं, तच्च गवादिष्विव गाव्यादिषु दृश्यते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy