SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોમાં પરસ્પર વિરોધ હોવા છતાં તેમને પ્રામાણ્યમાં વિરોધ નથી. તેથી, “જે કપિલમુનિ સર્વજ્ઞ હોય તે સુગત સવજ્ઞ નથી એમાં શું પ્રમાણ ? અને જે બન્ને સર્વજ્ઞ હોય તે તેમની વચ્ચે મતભેદ અર્થાત્ વિરોધ કેમ ?' એમ જે કહેવામાં આવે છે તેને નિરાસ ઉપર થઈ ગયો છે, કારણ કે જ્યારે મુખ્ય વિષયની વાત હોય છે ત્યારે તેમની વચ્ચે મતભેદ હેત નથી અને ક્યારેક મતભેદ હેય તે પણ તેમના પ્રામાણ્યમાં તેથી વિરોધ આવતો નથી... કેટલાક માને છે કે બધાં જ આગમન પ્રણેતા ઈશ્વર છે, કારણ કે સકળ પ્રાણીઓના અનેકવિધ કર્મવિપાકે દેખતા તેમ જ કરુણાથી તેમને અનુગ્રહ કરવા માટે મોક્ષપ્રાપ્તિના અનેકવિધ માગને દેખતા તે ઈશ્વર આશયાનુસાર ક્યારેક કેટલાંક પ્રાણીઓની અમુક કર્મમાં યેગ્યતા જાણીને તે તે ઉપાય તેમને ઉપદેશે છે. પિતાની વિભૂતિના મહિનાથી અનેક શરીરે ધારણ કર્યા હોવાને કારણે તે ઈશ્વર જ “અહંત, કપિલ', “સુગો વગેરે જુદાં જુદાં નામો પામે છે એમ માનવું ઉચિત છે કારણ કે અનેક સર્વજ્ઞા માનવામાં યત્નની અને ગૌરવની આપત્તિ આવે છે.” સર્વમતસમન્વય, ઉપાયકૌશલ અને અવતારવાદ એ ત્રણેના સ્વારસ્ય. દર્શન અહીં આપણને થાય છે. તદનન્તર વેદ ઉપર થયેલા અપ્રામાણ્યના આક્ષેપો જણાવી તેમનો સમુચિત પરિહાર કરવામાં આવ્યું છે. છેવટે, વેદનું પ્રામાણ્ય શેમાં છે ? – કાર્યમાં કે સિદ્ધાર્થમાં કે બન્નેમાં ? એ પ્રશ્નની ચર્ચા કરી નિષ્કર્ષ કાઢયો છે કે વેદનું પ્રામાણ્ય બનેમાં છે. આમ શુ આદનિક અનેક દૃષ્ટિએ મહત્ત્વનું છે. પાંચમું આહુનિક અપેહવાદનતિવાદના વિવાદથી શરૂ થાય છે. અહીં જાતિની સ્થાપના કરવામાં આવી છે. આ ચર્ચા અતિ વિસ્તૃત છે. ત્યાર પછી શબ્દ શું આકૃતિનો વાચક છે કે વ્યક્તિને કે જાતિને ? આ પ્રશ્નને લઈને વિચારણું કરી છે. અહીં આકૃતિ અને જાતિ અને એક જ છે કે પૃથફ તેની વિચારણા પણ કરી છે. તે પછી વાકયાથ શો છે એની ચર્ચા વિસ્તારથી કરી છે. વાગ્યા વાસ્તવિક છે એ સ્થાપી વ્યવચ્છેદ, સંસ. કિયા ફળ, પુરુષ. ભાવના. વિધિ. નિગ. ઉદ્યોગ અને પ્રતિભાને વાકયાઈ માનનારના મતોની સમાલોચના કરી છે. છેલ્લે તૈયાયિક મતની સ્થાપના કરી છે કે સંસ્કૃષ્ટ પદાર્થો જ વાયા છે. જેમ અવયવરૂપ તંતુઓથી અવયવીરૂપ પટ જુદે છે તેમ પદાર્થોથી વાકયર્થ જુદે નથી, વાક્યર્થ અવયવી નથી આમ આ પાંચમું આહુનિક ભાષાશાસ્ત્રીઓને રસ પડે એવું અને ઉપયોગી છે. | ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એમ હું માનું છું. લા. દ. ભા. સં. વિદ્યામંદિર નગીન જી. શાહ અમદાવાદ ૩૮૦૦૦૮ ૧ મે ૧૯૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy