SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક કાશ્મીરના રાજા શંકરવમના રાજ્યકાળમાં (ઈ. સ. ૮૮૫-૯૦૨ ) થઈ ગયેલા કાશ્મીરી તની ન્યાયમંજરી સંસ્કત દાર્શનિક સાહિત્યન’ એક અણમોલ રત્ન છે. તે પ્રૌઢ કૃતિ છે. તેમાં મુખ્યત્વે મીમાંસા અને બૌદ્ધ સિદ્ધાન્તોની આલોચના કરી તૈયાયિક સિદ્ધાન્તોની સ્થાપના કરવામાં આવી છે. તેની શૈલી વિશદ અને પ્રસન્ન છે. તેને વાંચતાં જાણે કોઈ સાહિીિક કૃતિ વાંચતા હોઈએ એ આલાદ થાય છે. આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત ત્રણ આહ્નિકે ત્રણ અલગ અલગ પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. પ્રસ્તુત ચેથા પુસ્તકમાં ચેથા અને પાંચમાં એમ બે આફ્રિકાને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આહ્નિકમાં પ્રમાણુનું લક્ષણ, પ્રમાણની સંખ્યા, અથપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આહિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આહનિકમાં શબ્દપ્રમાણ, ખ્યાતિવાદ, ઈશ્વર અને શખનિત્યત્વની વિચારણું છે. જે બે આનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે. તેમનામાં ચર્ચિત દાર્શનિક સમસ્યા એની ઝાંખી નીચે પ્રમાણે છે. ચોથા આહનિકમાં સૈપ્રથમ વેદામૈયત્વ વિરુદ્ધ વેદકતૃત્વની વિસ્તૃત ચર્ચા છે. પ્રસ્તૃત ચર્ચા પ્રસંગે શબ્દ-અર્થસંબંધની પણ વિચારણું કરવામાં આવી છે. ત્યાર પછી જયતે બહુ જ મન પડે એ રીતે અથવવેદના પ્રામાણ્યની સ્થાપના કરી છે અને તારવ્યું છે કે અથવવેદ ચાર વેદમાં શ્રેષ્ઠ છે. તે પછી બધી જ દશનશાખાઓના અને વિવિધ ધર્મસંપ્રદાયના અનુયાયીઓએ અવશ્ય વાંચવા જે ભાગ આવે છે. અહીં ધર્મશાસ્ત્રો, શૈવાગમ, બૌદ્ધાગ, જેનાગો, સંસારમેચકાગ, વગેરેના પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે. જયંત કહે છે, “બધાં અાગમોમાં ઉપેય ( = સાથે ) તરીકે મોક્ષનો નિદેશ છે. તેના ઉપાય તરીકે બધાં આગમોમાં જ્ઞાનને ઉપદેશ દેવાયો છે. અલબત્ત, જ્ઞાનના વિષય પર આગમમાં વિવાદ છે. તે બાબતે પણ જ્ઞાનને વિષય આત્મા છે એમાં ઘણુને વિવાદ નથી. પ્રકૃતિ–પુરુષ વિવેકજ્ઞાનના સાંખ્ય પક્ષમાં પ્રકૃતિથી વિવિક્તરૂપે પુરુષ જ રેય છે. નરામ્યવાદી બૌદ્ધો આત્મપ્રહ ( = અહંકાગ્રન્થિ ) શિથિલ કરવા માટે “આત્મા નથી એ ઉપદેશ આપે છે પરંતુ સ્વછ જ્ઞાનતત્ત્વ જે તેઓ સ્વીકારે છે, તે સ્વતંત્ર છે, અનશ્ચિત છે એ કારણે આત્મા જેવું જ છે. કેવળ ટસ્થનિત્યતા અને પ્રવાહનિયતાની બાબતમાં ૧૮ ભિન્નતા છે. [ વૈદિક શાસ્ત્રોને માન્ય આત્મા કુટસ્થનિત્ય છે, જ્યારે બૌદ્ધોને માન્ય આત્મા પ્રવાહનિત્ય છે. ] આમ મુખ્ય ઉપાય અને ઉપયની બાબતમાં બધાં માગને કે વિવાદ નથી. ક્રિયા ભલે પ્રતિ આગમ ભિન્ન ભિન્ન છે. ભસ્મ લગાવો કે જો ધારણું કરે, ઠંડે પકડે કે કમંડળ પકડો, લાલ લૂગડુ પહેરો કે નગ્ન રહે – એમાં શે વિરોધ છે ? વેદમાં પણ સ્વગના, જુદી જુદી ઇતિકતવ્યતાથી સભર ઉપાય રા ઓછા ઉપદેશાય છે ? એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy