SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મન્ત્રવાકયા ઉપર અપ્રામાણ્યને આક્ષેપ 223. શંકાકાર—તેને ઉત્તર આપીએ છીએ. ઉચ્ચારણમાત્રથી વિથ ને મત્રો ઉપયોગી છે. કેમ ? કારણ કે તે પ્રમાણે (અર્થાત્ ઉચ્ચારમાત્રથી) મંત્રના વિનિયોગને ઉપદેશ છે, જેમ કે [હું પુરાડાશ !] વિસ્તીર્ગુ થઈ તે વિસ્તાર પામ એમ ઉચ્ચારી પુરેડાશને વિસ્તારે”. મત્રો પદાર્થાને પ્રકાશિત કરવામાં ઉપકારી હૈાય તે આ મંત્રના સામર્થ્યથી જ અર્થાત્ પોતાના અથથી જ મત્ર પ્રથતક્રિયામાં ઉપયાગી બને, તે પછી શા માટે પ્રથન ક્રિયામાં આ મંત્ર ઉપયાગી છે એમ જણાવી મત્રોચ્ચાર કરનારને (યજ્ઞકર્તાને) પ્રથનક્રિયામાં આ મંત્ર ખેલવાની સૂચના આપવામાં આવે છે ? ચક્ષુવાળે પુરુષ બીનથી દોરવાતા હોય તે ખરેખર તે ચક્ષુએ વડે દેખતા નથી એવું સમજાય. 'હું અગ્નિ સળગાવનાર ઋત્વિક્ ! તુ અગ્નિને લઈ ન્લ (મીનીસ્ વિટ્ટુ)' એ મંત્ર ખેલતે એ ઋત્વિક્ અગ્નિવિહરમ કરે છે જ; તે પછી ‘અગ્નિવિહરણકમાં આ મત્ર ઉપયોગી છે માટે તે કમ' કરતી વખતે તે મંત્ર એલે' એમ વચનથી સૂચવવાનું પ્રત્યેાજન જ કયાં રહ્યું ? મંત્ર ઉચ્ચારમાત્રથી વિષ્ય ને ઉપકાર કરતા હોય તેા ઉચ્ચારણથી કઈક અદૃષ્ટ ઉષકાર જન્મે છે એમ કલ્પવામાં આવે છે. 224. वाक्यक्रम नियमाच्चाविवक्षितार्थान् मन्त्रानवगच्छामः । नियतपदक्रमा हि मन्त्राः पश्यन्ते । यद्यर्थप्रतिपादनेनेोपकुर्युः नियतक्रमाश्रयणमनर्थकं स्यात्, क्रमान्तरेणापि तदर्थावगमसंपत्तेः । ૧૧૯ 224. મંત્રો વિવક્ષિત અર્થ ધરાવતા નથી એવું વાકયગત પદોના નિયત મના નિયમ ઉપરથી અમને જણાય છે. અમુક નિયત ક્રમમાં પદ્મ ધરાવતા મંત્રો ઉચ્ચારાય છે. જો મંત્રો અનું પ્રતિપાદન કરી તે દ્વારા વિધ્યને ઉપકાર કરતા હાત તે। નિયતક્રમને વળગી રહેવુ અ* વગરનું બની જાય, કારણુ કે બીજા ક્રમથી પણુ અર્થનું જ્ઞાન થાય છે. 225. इतश्चाविवक्षितार्था मन्त्राः । अविद्यमानार्थप्रकाशिना हि केचिदू दृश्यन्ते । यथा ' चत्वारि शृङ्गा त्रयो अस्य पादाः द्वे शीर्षे सप्त हस्तासो अस्य । त्रिधा बद्धो वृषभो रोरवीति महो देवो मर्त्यानाविवेश' [ऋग्वेद ४.५८.३] इति । न हि चतुःशृङ्गं त्रिवादं द्विशिरस्कं सप्तहस्तं किञ्चिद् यज्ञसाधकमस्ति यदनेन प्रकाश्येत । 225 અને આ કારણે પણ મંત્રો વિવક્ષિત અવાળા નથી —કેટલાક મત્રો અવિદ્યમાન પદ્મા'ને જણાવતા દેખાય છે, જેમકે ‘એને ચાર શિંગડાં છે, ત્રણ પગ છે, એ માથાં છે, સાત હાથ છે. ત્રણ પ્રકારે બધેલે બળદ મેાટા અવાજ કરે છે. મેટ દેવ મર્ત્યમાં પ્રવેશ્યા (વાશિકા વગેરે)' ચાર શિ ંગડાંવાળું, ત્રણ પગવાળું, એ માથાવાળુ અને સાત હાથ વાળું કે:ઈ યજ્ઞસાધન પશુ છે નહિ કે જેને આ મંત્ર પ્રકાશિત કરે (અર્થાત્ જણાવે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy