SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આખ્યાતિવાદથી શુન્યવાદને પ્રતિકાર અશકય - 'તકુ कृतश्च शीलविध्वंसो न चानङ्गश्च सङ्गतः । आत्मा च लाघवं नीतस्तच्च कार्य न साधितम् ॥ इति [ 122. વળી, શૂન્યવાદને પ્રતિકાર કરવાની આ રીત નથી. [અર્થાત્ અખ્યાતિવાદનું - પ્રતિપાદન કરીને શૂન્યવાદને પ્રતિકાર કરી શકાશે નહિ.] ભસ્મીભૂત થઈ ગયેલા પિતા • વગેરેની સ્મૃતિ અર્થ જન્ય નથી, તેને જ દૃષ્ટાન્ત તરીકે લઈને શુન્યવાદી [બાહ્ય વસ્તુનું કે કોઈ અસ્તિત્વ જ નથી એ દર્શાવવા1 ખડો થયો છે. કેવળ ભ્રાત જ્ઞાનાને નકાર કરીને તેને હરાવવો શકય નથી. જે પરતઃ પ્રામાયને નિષેધ કરનારી અને શુન્યવાદને નિષેધ કરનારી કઈ યુક્તિ હોય તે તે જ કહેવી જોઈએ, આ અખ્યાતિથી શું સધાવાનું ? તેથી, તે યુક્તિને આશરો લેવો એ જ યોગ્ય છે. તે યુક્તિને આશરો લેવાની અમે તમને ના પાડતા નથી. એ ખ્યાતિ દ્વારા તે અનુભવને જ વિરાધ તમે પ્રકટપણે કર્યો છે. તેથી ધિક્કાર છે તમારા પ્રમાદીપણને ! કહ્યું છે ને કેઃ “શિયળનો નાશ કર્યો અને તેમ છતાં પ્રેમ અનુકૂળ ન થયો. આત્માને હણે કર્યો અને છતાં તે કામ પાર ન પાડયું.” [તમારું પ્રભાકરેનું આવું છે.] 123. यत्पुनर्विपरीतख्यातौ पक्षत्रयमाशङ्कय दूषितं तदपि न युक्तम् । अस्तु तावदयमेव पक्षः 'रजतमालम्बनं, तदेव चास्यां प्रतीतौ परिस्फुरति' इति । नन्वत्र चोदितम् 'असख्यातिरेव सा भवेत्' इति । नैतत्साधु, देशान्तरादौ रजतस्य विद्यमानत्वात् । असख्यातिपक्षे हि एकान्तासतोऽर्थस्य प्रतिभानमङ्गीक्रियते, इह तु देशान्तरादौ विद्यमानस्येति महान् भेदः । 123. ઉપરાંત, ત્રણ વિકલ્પની આશંકા કરી વિપરીત ખ્યાતિમાં જે દૂષણ બતાવકરવામાં આવે તે પણ બરાબર નથી. તો આ રહ્યો પ્રથમ વિક૯૫ – “રજત એ વિષય છે, તે જ આ (બ્રાન્ત) પ્રતીતિમાં ગૃહીત થાય છે. આ વિક૯૫ને અનુલક્ષી વિપરીત ખ્યાતિમાં આપત્તિ આપવામાં આવી છે કે એમ હોય તે વિપરીત ખ્યાતિ અસખ્યાતિ જ બની જાય. વિપરીત ખ્યાતિમાં આપવામાં આવેલી આ આપત્તિ યોગ્ય નથી, કારણ કે અન્ય દેશ કે અન્ય કાળમાં ૨જત વિદ્યમાન છે, સત્ છે. અસખ્યાતિના પક્ષમાં અત્યન્ત અસત્ વસ્તુનું પ્રહણ સ્વીકારવામાં આવ્યું છે, જ્યારે અહીં (વિપરીત ખ્યાતિમાં) તે દેશાન્તર કે કાલાન્તરમાં વિદ્યમાન (=સત્ ) વસ્તુનું ગ્રહણ સ્વીકારવામાં આવ્યું છે. આમ [વિપરીત ખ્યાતિ અને અસખ્યાતિ વચ્ચે મેરે ભેદ છે. 124. નનુ તત્રત કર્થસ્થ હિંદ ફેરાન્તરતિયા | किं कुर्मस्तादृशस्यैव वस्तुनः ख्यातिदर्शनात् ॥ यस्तु देशान्तरेऽप्यर्थो नास्ति कालान्तरेऽपि वा। न तस्य ग्रहणं दृष्टं गगनेन्दीवरादिवत् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy